Sat,18 May 2024,3:28 pm
Print
header

સોનાથી મઢેલા આપણા રામ મંદિરના દરવાજા....મંદિરના ગર્ભગૃહમાં લગાવાયો એક દરવાજો, બીજા 13 દરવાજા લગાવાશે

અયોધ્યાઃ ભગવાન રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થોડા જ દિવસોમાં થવા જઇ રહ્યો છે. આ માટે દેશભરમાં જોરદાર તૈયારીઓ કરાઇ રહી છે, વર્ષોની પ્રતિજ્ઞા બાદ અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર બનીને તૈયાર છે. અહી સુવર્ણના ચઢાવાથી દરવાજા તૈયાર કરાયા છે. સોનાથી જડિત 14 દરવાજા મંદિરમાં લાગવાના છે, જેમાંથી એક દરવાજો લગાવી દેવાયો છે અને તેની તસ્વીર સામે આવી છે.મંદિરના ગર્ભગૃહમાં એક દરવાજો લગાવી દેવામાં આવ્યો છે.

આ દરવાજો વર્ષો સુધી ટકી રહેશે, તેને ખાસ લાકડાથી બનાવાયો છે, ઉપર સોનાનું પડ લગાવવામાં આવ્યું છે. જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ દરવાજા હૈદરાબાદની કંપનીએ તૈયાર કર્યાં છે, શરદ બાબુ અને તેમની ટીમે  અનેક મંદિરોને આવા દરવાજા આપ્યાં છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું છે કે મંદિરમાં કુલ 44 દરવાજા હશે, જેમાં 14 દરવાજા પર સોનાની પરખ હશે, 30 દરવાજા પર ચાંદી હશે, ભગવાનું સિંહાસન પણ ચાંદીનું હશે. વડાપ્રધાન મોદી આગામી 22 જાન્યુઆરીએ મંદિરમાં પૂજા કરશે, અયોધ્યા અત્યારથી જ રોશનીથી જગમગી રહ્યું છે, મહોત્વની ભવ્ય તૈયારીઓ થઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch