Thu,16 May 2024,11:42 am
Print
header

શું આ પોસ્ટર્સ ભાજપની જીતને નિશ્વિત કરી રહ્યાં છે ? ચૂંટણી પહેલા કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાનું ચિતરવાનું શરૂ- gujarat post

અમદાવાદ, વડોદરાઃ વિધાનસભા ચૂંટણીને થોડો સમય જ બાકી છે ત્યારે હવે આપના વિરોધીઓએ તેમની રણનીતિ શરૂ કરી દીધી છે, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે, જેમાં લખ્યું છે હું હિન્દુ ધર્મને પાગલપન માનું છું બાજુમાં કેજરીવાલનો ફોટો છે, બીજા પોસ્ટર્સમાં લખ્યું છે હું શ્રાદ્ધ, પિંડદાન કે કોઇ હિન્દુ ક્રિયાઓ કરીશ નહીં, અને બાજુમાં કેજરીવાલનો ટોપી વારો ફોટો છે.

થોડા દિવસ પહેલા દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ બૌદ્ધ ધર્મના કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં લોકોને હિન્દુ દેવી દેવતાઓની પુજા નહીં કરવા શપથ લેવડાવવામાં આવ્યાં હતા. સાથે જ અહીં અનેક લોકોનું ધર્મપરિવર્તન કરાવાયું હતુ. જેથી આમ આદમી પાર્ટી અને કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા પોસ્ટર્સ લગાવાયા છે.

વિધાનસભા ચૂંટણી પહેલા આ પોસ્ટર્સ ભાજપને પાછો ફાયદો કરાવશે, હિન્દુત્વના કાર્ડ પર ભાજપની જીત નિશ્વિત થઇ રહી છે, હજુ આપને હિન્દુ વિરોધી ચિતરીને ભાજપ મોટી જીત મેળવી શકે છે, બીજી તરફ આપના નેતાઓનું કહેવું છે કે કેજરીવાલની વડોદરા યાત્રા પહેલા આવા પોસ્ટર્સ લગાવીને આપને બદનામ કરાઇ રહી છે, ભાજપ હાર જોઇ રહી છે જેથી આ બધુ થઇ રહ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch