Sat,18 May 2024,4:16 pm
Print
header

અમરેલીના લાલાવદરમાં પુત્રી પર મેલી વિદ્યા કરી હોવાનું વહેમ રાખીને કરાઇ હતી ત્રણ હત્યાઓ, કૂવામાંથી મળ્યાં હતા મૃતદેહો

અમરેલીઃ લાલાવદર ગામમાં ત્રણ લોકોના મૃતદેહ કૂવામાંથી મળતા ખળભળાટ મચી ગયો હતો, ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા પતિ-પત્ની અને બહેનની લાશ કૂવામાંથી મળી હતી, હવે આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં છે, પહેલા આ બનાવ આત્મહત્યાનો હોવાનું સ્થાનિકોનું કહેવું હતુ, પરંતુ ખબર પડી કે આ ત્રણેયની ગળુ દબાવીને હત્યા કરાઇ હતી અને તેમની લાશો કૂવામાં નાખી દેવામાં આવી હતી.

ચાર આરોપીઓમાંથી ત્રણ ઝડપાયા

આરોપી ભુરા મોહન બામનીયાને પોતાની પુત્રીનું મોત તંત્રમંત્રથી થયાનું લાગતું હતું

મૃતકોએ મેલીવિદ્યા કરી હોવાની આશંકા હોવાથી કરી હત્યા

મૃતકોમાં મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા તેમના પત્ની ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા અને બહેન જાનુબેન અંતુરભાઈ દેવરખીયાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભુરા મોહન બામનીયાને પોતાની પુત્રીનું મોત તંત્રમંત્રને કારણે થયાનું લાગતું હતું અને આ બધુ મેકેશભાઇ અને તેમના પરિવારે કર્યું હોવાની તેને આશંકા હતી, જેથી પોતાની પુત્રીનો મોતનો બદલો લેવા માટે તેને આ હત્યાનું ષડયંત્ર કર્યું હતું અને ત્રણેયની ક્રૂરતાથી હત્યા કરી હતી, પરંતુ આ હત્યાની ઘટના કોઇએ જોઇ લીધી હતી અને પોલીસે તપાસ કરતા સત્ય સામે આવ્યું હતુ, હાલમાં મુખ્ય આરોપી ભુરા મોહન બામનીયા ફરાર છે અને પોલીસ તેની શોધ કરી રહી છે, નોંધનિય છે કે ભુરા મોહનની પુત્રીનું થોડા સમય પહેલા બિમારીને કારણે મોત થયું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch