સ્વામીનારાયણ મંદિરના સંતની દાદાગીરી, કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને બચાવ્યાં
અમદાવાદઃ કોરોનાની મહામારીમાં પોતાના જીવના જોખમે ફરજ બજાવનારા પોલીસકર્મીઓએ નિમ્ન કક્ષાની રાજનીતિનો ભોગ બનવું પડે છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના વાડજમાં, સરકારની ગાઇડ લાઇન્સ મુજબ રાતના 10 વાગ્યેથી સવારના 5 વાગ્યાની વચ્ચે કર્ફ્યૂ હોય છે અને આ સમયમાં કામ વગર બહાર નીકળેલા લોકો સામે કાયદાકીય કાર્યવાહી થઇ રહી છે, દરમિયાન વાડજ વિસ્તારમાં એક ફોર્ચ્યુનર કારને પોલીસ રોકી હતી, જેમાં બેઠેલા 6 લોકોને પોલીસે પકડ્યાં હતા, આ મામલે કલોલ સ્વામીનારાયણ મંદિરના ડી.વી.સ્વામીએ પકડાયેલા લોકોને અને કારને છોડાવવા ધમપછાડા કર્યા હતા. સાથે જ બે ધારાસભ્યોએ પણ આ લોકોને છોડાવવા ભલામણો કરી હતી, આ બધાએ નિયમોનો ભંગ કરનારા લોકોનો પક્ષ લઇને પોલીસ પર દબાણ ઉભું કર્યું હતું.
વાડજ સર્કલે કાળીપટ્ટી લગાવેલી ફોર્ચ્યુનર કારને જ્યારે પોલીસ પકડી ત્યારે ડ્રાઇવરે પોલીસને કહી દીધું હતુ કે આ કાર કલોલ સ્વામીનારાયણ મંદિરના સ્વામીની છે અને તમે કાર પકડશો તો કલોલ સુધી મુકવા આવવું પડશે. ડ્રાઇવરે સ્વામીની પોલીસ સાથે વાત કરાવી હતી, ત્યારે સ્વામીએ દાદાગીરી કરતા કહ્યું હતુ કે કાર તારા કમિશનરે પણ પાછી આપવા આવવું પડશે, બાદમાં ભયંકર દબાણને કારણે પોલીસે કાર છોડવી પડી હતી, પરંતુ પીઆઇએ કોઇ પણ પ્રકારની માફી માંગવાનો ઇનકાર કરતા સ્વામીના રાજકીય દબાણને કારણે સિનિયર પીઆઇ જે.એ.રાઠવાની સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરી નાખવામાં આવતા અન્ય પોલીસકર્મીઓમાં રોષ વ્યાપી ગયો છે, એક રીત નફ્ફ્ટ તંત્રને કારણે કોરોનામાં પણ જીવના જોખમે કામ કરનારા પોલીસકર્મીઓને ખોટી સજા મળી રહી છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ACB ટ્રેપઃ રૂ.1.25 લાખની લાંચ લેતા ક્લાસ-2 સરકારી બાબુ ઝડપાઇ ગયા, જાણો વધુ વિગતો | 2024-05-16 20:02:08
કોઈ માઇનો લાલ નથી જન્મ્યો કે જે CAAને ખતમ કરી શકે, આઝમગઢના લાલગંજમાં PM મોદીનો વિપક્ષ પર પ્રહાર | 2024-05-16 13:19:23
યુપી, ગુજરાતમાં ભાજપમાં આંતરિક ખેંચતાણથી ઉડી ભાજપના ચાણક્યની ઉંઘ- Gujarat Post | 2024-05-16 09:38:47
ગુજરાતમાં લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય, એક જ ગામના ત્રણ યુવકો બન્યાં ભોગ- Gujarat Post | 2024-05-16 09:37:09
8 લોકોનાં મોત...ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત | 2024-05-16 08:35:08
કમોસમી વરસાદઃ પોરબંદરમાં વીજળી પડતાં બે લોકોનાં મોત- Gujarat Post | 2024-05-16 08:19:30
સ્કૂલો પણ સુરક્ષિત નથી ! જામનગરની સૈનિક સ્કૂલમાં ટીચરે બે સગીરાની કરી છેડતી, પોલીસે દાખલ કર્યો ગુનો | 2024-05-15 09:09:57
Fact Check: રાહુલ ગાંધીએ નથી કહ્યું કે ચૂંટણી બાદ મોદી જ વડાપ્રધાન બનશે, આ છે વીડિયોની હકીકત | 2024-05-16 09:34:54
સી.આર.પાટીલને બીજી વખત જડબાતોડ જવાબ..દિલીપ સંઘાણીએ કહ્યું ઇલુ ઇલુથી નથી સહકારથી ચાલે છે સહકારી સંસ્થાઓ | 2024-05-14 22:02:31
PM મોદીએ વારાણસીથી નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રાજનાથસિંહ, ચંદ્રબાબુ નાયડુ સહિતના આ દિગ્ગજ નેતાઓ રહ્યાં હતા હાજર | 2024-05-14 12:34:22