અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે દાહોદ જિલ્લાના ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ચાર દિવસમાં 400 કિ.મીની યાત્રા દરમિયાન રાજ્યમાં સભા અને રેલીનું આયોજન કરાશે.
રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમ જશે
રાહુલ ગાંધી બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે, જેની સ્થાપના સરદાર વલ્લભાઇ પટેલે કરી હતી. દાંડી કૂચ બાદ મહાત્મા ગાંધીજી આશ્રમમાં લાંબા સમય સુધી રહ્યાં હતા. ભારત જોડો ન્યાય યાત્રા દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે. તે ગુજરાતના સાત આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાંથી પસાર થશે. ગોહિલે કહ્યું કે આ મુલાકાત દ્વારા રાહુલ ગાંધી ગુજરાતના વિવિધ વર્ગના લોકોને મળશે.
ભાજપ ડર અને લાલચ આપીને નેતાઓને તોડી રહી છે
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ કોંગ્રેસ અને વિરોધ પક્ષોના નેતાઓને લાલચ આપે છે અને ડર બતાવી રહી છે. તેમનો આરોપ છે કે ભાજપે સત્તા જાળવી રાખવા માટે તમામ નીતિઓ અને સિદ્ધાંતોને બાજુ પર મુકી દીધા છે.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના મજબૂત હોવાના દાવા પર સવાલો ઉઠાવ્યાં હતા અને કહ્યું હતું કે તેમને અન્ય પક્ષોના નેતાઓને કેમ સ્વીકારવા પડે છે ?? ચાવડાનું કહેવું છે કે એક તરફ ભાજપ જીતના દાવા કરે છે અને બીજી તરફ કોંગ્રેસના નેતાઓનો સમાવેશ કરીને તેમને હોદ્દો અને ટિકિટ આપી રહી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56