નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યું છે. સંકલ્પ પત્ર લોન્ચ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે. આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. આ વિકસિત ભારતનો મેનિફેસ્ટો છે, આ મેનિફેસ્ટો વિકસિત ભારતના ચાર સ્તંભો પર આધારિત છે, જેમાં યુવાનો, ખેડૂતો, ગરીબો અને મહિલાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મોદીની ગેરંટી છે કે મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે. ભાજપે મેનિફેસ્ટોની સચ્ચાઈ પુનઃ સ્થાપિત કરી છે.
આ સંકલ્પ પત્ર વિકસિત ભારતના તમામ 4 મજબૂત સ્તંભોને સશક્ત બનાવે છે- યુવા શક્તિ, મહિલા શક્તિ, ગરીબ અને ખેડૂતો. અમારું ધ્યાન જીવનની ગરિમા, જીવનની ગુણવત્તા અને રોકાણ દ્વારા નોકરીઓ પર છે.મોદીએ કહ્યું કે વૃદ્ધોની સૌથી મોટી ચિંતા એ છે કે તેઓ તેમના રોગોની સારવાર કેવી રીતે મેળવશે. મધ્યમ વર્ગ માટે આ ચિંતા વધુ ગંભીર છે. ભાજપે હવે સંકલ્પ કર્યો છે કે 75 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે હવે અમે કરોડો પરિવારોના વીજળી બિલને શૂન્ય સુધી ઘટાડવા અને વીજળીથી કમાણી કરવાની તકો ઊભી કરવાની દિશામાં કામ કરીશું. અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના લાગુ કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મુદ્રા યોજનાએ કરોડો લોકોને ઉદ્યોગસાહસિક બનાવ્યાં છે.આ સફળતા જોઈને બીજેપીએ બીજો 'રિઝોલ્યુશન' લીધો છે- મુદ્રા યોજના હેઠળ પ્રથમ 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવી હતી. હવે ભાજપે આ મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. મને વિશ્વાસ છે કે તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી 4.0 ના યુગ માટે જરૂરી ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં એક નવા બળ તરીકે થશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે ભાજપે નક્કી કર્યું છે કે ટ્રાન્સજેન્ડર સમૂદાય આયુષ્માન ભારત યોજનાના દાયરામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે અમારો મેનિફેસ્ટો યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. છેલ્લા 10 વર્ષમાં ભારતના લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે. ભાજપની કામ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાનો આ પુરાવો છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
#WATCH | BJP 'Sankalp Patra'/manifesto release: Prime Minister Narendra Modi says, "In past years, MUDRA Yojana has turned crores of people into entrepreneurs...Looking at this success, BJP has taken one more 'sankalp' - under MUDRA Yojana loans up to Rs 10 Lakhs were provided.… pic.twitter.com/XN315Ffkhg
— ANI (@ANI) April 14, 2024
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરની પાછળ પડી હતી ત્યારે જ થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટના સ્થળે મોત થઇ ગયા | 2024-05-03 17:37:06
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોનાં મોત | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48
Lok Sabha Elections 2024: અમિત શાહના એડિટેડ વીડિયો મામલે કાર્યવાહી તેજ, પોલીસે આ 3 મોટા નેતાઓને મોકલી નોટિસ | 2024-05-02 08:41:11
સૌથી મોટા સમાચાર, અભિનેતા સલમાન ખાનના ઘર પરના ફાયરિંગ કેસના આરોપી Anuj Thapan એ કરી લીધી આત્મહત્યા | 2024-05-01 19:57:03