મનસુખ વસાવા પહેલીવાર 1998માં જીત્યાં હતા ત્યારથી આ બેઠક ભાજપનો ગઢ છે
ચૈતર વસાવાએ વિધાનસભા ચૂંટણી જીતીને આદિવાસી મતબેંકમાં ગાબડું પાડ્યું હતું
દિલીપ વસાવાની એન્ટ્રીથી આદિવાસી મતોનું વિભાજન થશે
ભરૂચઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. જે માટે 12 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન ઉમેદવારી પત્રો ભરી શકાશે. 20 એપ્રિલે ફોર્મની ચકાસણી થશે અને 22 એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. રાજ્યમાં તમામની નજર રાજકોટ અને ભરૂચ સીટ પર છે. ભરૂચ સીટ પર ઘણા સમય પહેલા આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી, જ્યારે ભાજપે આ બેઠક પર મનસુખ વસાવાને ફરી ટિકિટ આપી છે. ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે તેમના નાના પુત્ર દિલીપ વસાવાને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી દીધી છે. જેને લઈ આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે.
મનસુખ વસાવા- ચૈતર વસાવા- દિલીપ વસાવા વચ્ચે જંગ
આ બેઠકની પાંચ વિધાનસભા બેઠકો ઉપરાંત જિલ્લામાં નર્મદા અને વડોદરા જિલ્લામાંથી બે બેઠક ડેડિયાપાડા-કરજણ પણ છે. જેમાંની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. વિધાનસભામાં સાતમાંથી છ બેઠકો પર ભાજપનો કબ્જો છે. ઝઘડિયા બેઠક જેના પર આદિવાસી નેતા છોટુ વસાવા સાત વખત ચૂંટણી જીતી ચૂક્યાં છે. તેઓ 2022ની ચૂંટણીમાં પહેલીવાર હાર્યાં હતા. ભરૂચ બેઠક ગુજરાતની એક એવી બેઠક છે જ્યાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર બંને આદિવાસી નેતા છે. ત્યારે આ બેઠક જીતવા માટે ઉમેદવારોએ તનતોડ મહેનત કરવી જ પડશે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરની પાછળ પડી હતી ત્યારે જ થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટના સ્થળે મોત થઇ ગયા | 2024-05-03 17:37:06
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોનાં મોત | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56