Fri,17 May 2024,2:36 pm
Print
header

ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાલામુખીમાં વિસ્ફોટથી 11 પર્વતારોહકોનાં મોત, અનેક લાપતા

(Photo: AFP)

માઉન્ટ મેરાપી જ્વાળામુખી જાન્યુઆરીથી સક્રિય

ઈન્ડોનેશિયામાં કુલ 120 સક્રિય જ્વાળામુખી

સુમાત્રાઃ ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટવાથી 11 પર્વતારોહકોનાં મોત થયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓનું કહેવું છે કે જ્વાળામુખી પાસે ત્રણ પર્વતારોહકો જીવિત મળી આવ્યાં છે અને કેટલાય પર્વતારોહકો હજુ પણ ગુમ છે અને તેમની શોધ ચાલી રહી છે.

પેડાંગ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના વડા અબ્દુલ મલિકે જણાવ્યું કે તેમને ત્રણ લોકો જીવિત અને 11 મૃતદેહો મળ્યાં છે. તેમણે કહ્યું કે શનિવારે ઘટનાના દિવસે કુલ 75 પર્વતારોહકો મેરાપી પર્વત પર હતા. જ્વાળામુખી ફાટ્યાં બાદ સફેદ અને રાખોડી રાખ ફેલાઈ છે. જેના કારણે આસપાસના ગામો જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયા છે. મીડિયા અહેવાલો અનુસાર, જ્વાળામુખી વિસ્ફોટના સ્થળની નજીક પર્વત પર ચઢવાના બે માર્ગો છે, જે હવે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ જ્વાળામુખીના મુખથી 3 કિલોમીટર દૂર ઢોળાવ પર આવેલા ગામોને સાવચેતીના પગલારૂપે ખાલી કરાવવામાં આવ્યાં છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવા બહાર આવવાની આશંકા છે.

મેરાપી પર્વત પર હજુ પણ ઘણા પર્વતારોહકો ગુમ છે, જેમની શોધ ચાલી રહી છે. જ્વાળામુખી ફાટ્યા બાદ જ્વાળામુખીની રાખ 3000 મીટર દૂર સુધી ફેલાઈ ગઈ છે. વહીવટીતંત્રે લોકોને સાવચેતી તરીકે ગોગલ્સ પહેરવાની સલાહ આપી છે જેથી તેમની આંખો જ્વાળામુખીની રાખથી સુરક્ષિત રહી શકે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch