નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા સામે જવાબી કાર્યવાહી કરી છે. કાકરે શુક્રવારે પોતાના ભાષણમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રના એજન્ડામાં સૌથી લાંબા સમયથી રહેલો મુદ્દો છે.તેમણે કાશ્મીરને બંને દેશો વચ્ચે શાંતિની ચાવી ગણાવી હતી.હવે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રથમ સચિવ પંતુલ ગેહલોતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનને ઘેરીની તેમણે કહ્યું કે ગેરકાયદેસર રીતે કબ્જે કરેલા પીઓકેને ખાલી કરો, પાકિસ્તાનને 26-11 હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.
First Secretary at United Nations for 2nd Committee of UNGA, Petal Gahlot says "As a country with one of the world's worst human rights records, particularly when it comes to minority and women's rights, Pakistan would do well to put its own house in order before venturing to… pic.twitter.com/GV52GmDZMV
— ANI (@ANI) September 23, 2023
યુએન જનરલ એસેમ્બલીમાં ભારતના ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે કહ્યું, "પાકિસ્તાન ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને ખોટો પ્રચાર ફેલાવવા આ ફોરમનો દુરુપયોગ કરે છે. યુએનના સભ્ય દેશો અને અન્ય સંસ્થાઓ સારી રીતે જાણે છે કે પાકિસ્તાન આ બધું કરે છે. અમે ફરી એકવાર કહીએ છીએ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો ભાગ ભારતનો અભિન્ન ભાગ છે. તેમાં સામેલ તમામ મુદ્દાઓ ભારતની આંતરિક છે. ભારતના ઘરેલું મુદ્દાઓ પર વાત કરવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી.
પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે વિશ્વમાં સૌથી ખરાબ માનવાધિકાર રેકોર્ડ ધરાવનાર દેશ તરીકે, ખાસ કરીને મહિલાઓ અને લઘુમતીઓના અધિકારોના સંદર્ભમાં ખરાબ દેશ પાકિસ્તાન છે.પાકિસ્તાને વિશ્વની સૌથી મોટી લોકશાહી પર આંગળી ઉઠાવતા પહેલા પોતાની વાત કરે, પાકિસ્તાનમાં લઘુમતીઓ સામેની હિંસાનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ ઓગસ્ટ 2023માં ફૈસલાબાદ જિલ્લાના જરાનવાલામાં ખ્રિસ્તી સમુદાય સામેની ક્રૂરતામાં જોવા મળ્યું હતુ, જ્યાં ખ્રિસ્તીઓના 89 ઘરો અને 19 ચર્ચ સળગાવી દેવામાં આવ્યાં હતા. એટલું જ નહીં પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયની મહિલાઓ ખાસ કરીને હિંદુ, શીખ અને ખ્રિસ્તીઓની હાલત ખૂબ જ ખરાબ છે.તાજેતરમાં પાકિસ્તાનના પોતાના માનવ અધિકાર પંચે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે, જે મુજબ દેશમાં દર વર્ષે લઘુમતી સમુદાયની અંદાજિત 1,000 મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે, બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવે છે અને લગ્ન કરવામાં આવે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન | 2025-04-18 12:10:35
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
PNB કૌભાંડના આરોપી ભાગેડું ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ | 2025-04-14 08:55:50
EVM હેક થઈ શકે છે...તુલસી ગબાર્ડના નિવેદન પછી ફરીથી ભારતની રાજનીતિમાં ચર્ચાઓ શરૂ | 2025-04-12 11:29:46
ન્યૂયોર્કની હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, પરિવારના સભ્યો સહિત 6 લોકોનાં મોત | 2025-04-11 11:46:12
Big News: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ED ની મોટી કાર્યવાહી, ચાર્જશીટ દાખલ | 2025-04-15 18:28:42
વક્ફ લો ના વિરોધમાં બંગાળમાં હિંસા ભડકી, તોફાનીઓએ વાહનોમાં આગ ચાંપી દીધી | 2025-04-14 19:59:28
વક્ફ લો પર PM મોદીનો સૌથી મોટો પ્રહાર, કહ્યું- કોંગ્રેસ કોઇ મુસ્લિમને પાર્ટીના અધ્યક્ષ બનાવે | 2025-04-14 13:30:05