Fri,03 May 2024,7:56 pm
Print
header

હિંમતનગરઃ સવગઢ ગામમાં બાંધકામ સમયે દીવાલ તૂટી પડતા 2 શ્રમિકોનાં મોત, સ્લેબ ઉપર પડતા માથું ફાટી ગયું

હિંમતનગરના સવગઢમાં બે શ્રમિકોના ઘટના સ્થળે મોત

નવીન મકાનના કામ વખતે દીવાલ પડતા બે શ્રમિકો દટાયા

મકાનના બીજા માળે સ્લેબ બનાવતા દીવાલ ધરાયાઈ થઇ હતી

હિંમતનગરઃ શહેરને અડીને આવેલા સવગઢ ગામે મકાનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન મકાનનો બીજા માળનો સ્લેબ ધરાશાઈ થતા કામ કરી રહેલા શ્રમિકોનું માથું ફાટી ગયું હતું. જેથી બંન્નેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ આસપાસના લોકોને થતા સ્થળ પર ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા. હિંમતનગર ફાયર વિભાગને જાણ કરતા ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી હાથધરી હતી.

આસપાસના વિસ્તારના લોકોએ એકઠા થઈને ફાયર વિભાગને જાણ કરી હતી

ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને બે શ્રમિકોના મૃતદેહોને બહાર કાઢ્યાં હતા

બે મૃતક શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા

દોઢ કલાકની જહેમત બાદ ક્રેન વડે મૃતદેહોને બહાર કાઢ્યાં હતા. બંને શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાની જાણ હિંમતનગર ગ્રામ્ય પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, જો કોઇની બેદરકારી હશે તો તેમની સામે પોલીસ કાર્યવાહી કરાશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch