(પ્રતિકાત્મક ફોટો)
અંકલેશ્વરઃ કાપોદ્રા ગામે મામાના ઘરે રહેતી પરિણીતાને તલાક આપ્યાં વિના પતિએ બીજી યુવતી સાથે નિકાહ કરવાની પત્રિકા છપાવી હતી.જે પોતાની પાસે આવતા જ પરિણીતાએ ગંભીર પ્રકારના આક્ષેપો કરતો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, પરણિતાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા પતિએ બીજા લગ્ન મોકૂફ કરવા પડ્યાં હતાં
કાપોદ્રા ગામે રહેતી પરિણીતાના નિકાહ 2021માં વડોદરાના તાંદલજા ખાતે રહેતા આદિલ ઈકબાલ હાજી અબ્દુલ રહેમાન કડીવાલા સાથે થયા હતાં. બંને વચ્ચે અણબનાવ થતાં આદિલે તેને પિયર મુકીને વકીલ મારફતે ટ્રિપલ તલાકની નોટિસ આપીને છૂટાછેડા આપ્યાં હોવાનું માનીને તાંદલજાની યુવતી સાથે નિકાહ નક્કી કર્યાં હતાં. તેની પત્રિકા પરિણીતા પાસે આવતા તેણે આદિલના બીજા નિકાહ ખોટા અને ગેરકાયદેસર હોવાનનું કહીને પોલીસ ફરિયાદ આપી હતી. ઝેરી દવા પીને પતિ તેમજ સાસરિયાઓ સામે ગંભીર પ્રકારના આક્ષેપ કરતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
પરિણીતાનો પતિ જે યુવતી સાથે લગ્ન કરવાનો હતો તે યુવતીના પિતાએ સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં વીડિયો બાદ મેસેજ મૂકીને લખ્યું કે તારીખ 3-3-2024ના રોજ મારી દીકરીના નિકાહ નિમિત્તે ભોજન સમારંભ સહિત તમામ અન્ય કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યાં છે. તકલીફ બદલ ક્ષમા. વોટ્સએપનો આ મેસેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12