Sat,20 April 2024,2:32 pm

modi

  • 2018-10-12 18:25:21
  • /
  • Video

નવી દિલ્હીઃ એસસી-એસટી એક્ટમાં ફેરફાર લાવ્યા બાદ ઓબીસી અને સવર્ણો તરફથી આવી રહેલ વિરોધના સૂરને કઇ રીતે દબાવવામાં આવે, આને લઇને નરેન્દ્ર મોદી સરકારમાં મંથન ચાલી રહ્યું છે. સરકાર અને પાર્ટીના સ્તરે મળેલ ફીડબેક બાદ ચિંતા છે. સરકાર આ વર્ગને સામાન્ય ચૂંટણીમાં મનાવવા માટે ખાસ રણનીતિ બનાવી રહી છે.

જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટમાં ફેરફારનો આદેશ આપતા આમા ફેરફારનો આદેશ આપતા આમા ધરપકડ પહેલા તપાસના આદેશ આપ્યા હતા. જો કે, કેન્દ્ર સરકારે સંસદ દ્વારા કોર્ટેના આદેશને પલટાવી દીધો હતો. ત્યારબાદ દેશના અલગ-અલગ ક્ષેત્રોમાં સવર્ણ આંદોલન શરૂ થઇ ગયું હતું.