Sat,18 May 2024,9:14 am
Print
header

જુઓ વીડિયો... કલાકારે પેન્સિલની ટોચ પર બનાવી ભગવાન રામની મૂર્તિ, જાણો શિલ્પકારે શું કહ્યું ?

જયપુરઃ રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક શિલ્પકાર નવરત્ન પ્રજાપતિએ પેન્સિલની ટોચ પર ભગવાન રામની મૂર્તિ બનાવી છે.

શિલ્પકારે શું કહ્યું ?

નવરત્ને કહ્યું, મને તેને પૂર્ણ કરવામાં 5 દિવસનો સમય લાગ્યો હતો. તેની ઊંચાઈ 1.3 સે.મ ની છે. આ વિશ્વની સૌથી નાની પ્રતિમા છે. હું તેને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભેટ આપીશ અને શ્રી રામ મ્યુઝિયમમાં તેને સ્થાન અપાવવાનો પ્રયાસ કરીશ.

અયોધ્યામાં રામ મંદિર વિધિનો આજે છઠ્ઠો દિવસ

અયોધ્યામાં રામ મંદિર વિધિનો આજે છઠ્ઠો દિવસ છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો અભિષેક થશે, જેના કારણે દેશભરમાં ઉત્સવનો માહોલ છે. ​​500 વર્ષ બાદ રામ મંદિરમાં રામલલા બિરાજશે. અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અભિષેક પહેલા રામ મંદિરની ભવ્યતા જોવા મળે છે. ફૂલોથી શણગારેલું મંદિર વધુ સુંદર લાગે છે. મંદિરનો દરેક ખૂણો ફૂલોથી શણગારવામાં આવ્યો છે.

મંદિરનું ગર્ભગૃહ તેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીંથી ભગવાન રામલલા ભક્તોને દર્શન આપશે. રામ મંદિરને થાઈલેન્ડ અને આર્જેન્ટીનાથી લાવવામાં આવેલા સુંદર વિદેશી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.અંદર અને બહાર સુશોભન માટે ઉત્તમ લાઇટિંગ કરવામાં આવી છે.

બીજી તરફ મંદિર પરિષરમાં બનેલી યજ્ઞશાળામાં અભિષેકની વિધિ ચાલી રહી છે. આજે અનુષ્ઠાનનો છઠ્ઠો દિવસ છે. આજે સાંજ સુધીમાં અભિષેકની તમામ વિધિઓ પૂર્ણ થઈ જશે. આજે સાંજે જ અસ્થાયી મંદિરમાં બેઠેલા રામ લલાને તેમના ત્રણ ભાઈઓ ભગવાન શાલિગ્રામ અને બજરંગબલી સાથે નવા રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch