હીરા ઉદ્યોગ અને અન્ય કારખાનાઓમાં કામ કરનારા લોકોને વધુ સંક્રમણ
સુરત: શહેરમાં વધી રહેલા કોરોના કહેરને રોકવા માટે તંત્ર દ્વારા અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મહત્વની જાહેરાત કરી છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું છે કે સુરત બહાર વેપાર કરવા જતાં લોકો પરત આવે છે ત્યારે હોમ ક્વોરોન્ટાઇન થવાના બદલે પોતાના ધંધામાં ફરીથી લાગી જાય છે, જેના કારણે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને એ બાબત ધ્યાનમાં આવી છે કે સુરતથી દિલ્હી, મુંબઈ તેમજ અન્ય રાજ્યમાં જતાં વેપારીઓ ઘોર બેદરકારી રાખી રહ્યાં છે, જેના કારણે સુરતમાં કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે.જેમાં હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સૌથી વધારે સંક્રમિત થતા હોવાનું ધ્યાને આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું છે કે સુરત બહાર જતા અને પછી પરત આવતા લોકોએ14 દિવસ ક્વોરોન્ટાઇન રહેવું જરૂરી છે.જો આમ નહિ કરવામાં આવે તો કોરોનાનું સંક્રમણ હજુ પણ વધશે. ત્યારે કમિશનરે સ્થાનિક તંત્રને સૂચના આપી છે કે વેપાર ધંધા માટે બહાર જતા લોકો ઉપર વોચ રાખવી પડશે, નિયમોનું પાલન ન કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
મોદીએ કહ્યું આ વ્યક્તિએ મારા લાખો ભારતીયોનું અપમાન કર્યું, કલાકોમાં જ સૈમ પિત્રોડાના રાજીનામાના અહેવાલ આવ્યાં | 2024-05-08 22:43:20
Google એ ભારતમાં લોન્ચ કરી તેની Wallet એપ, Google Pay ને લઇને તમારે આ જાણવું જરૂરી છે | 2024-05-08 17:36:14
ગુજરાતમાં ચૂંટણીઓમાં પણ ગુંડારાજ....મહિસાગરમાં ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હોવાનો વીડિયો આવ્યો સામે | 2024-05-08 15:24:38
પહેલી જ વખત વડાપ્રધાન મોદીનો રાહુલ પર આવો પ્રહાર, અદાણી-અંબાણી પાસેથી તમે કેટલા રૂપિયા લઇને બોલવાનું બંધ કર્યું ? | 2024-05-08 14:20:40
મોદીની એટલી જ ચિંતા હતી તો પહેલા જ રૂપાલાએ રાજકોટ બેઠક કેમ ન છોડી ? હવે કહ્યું મારા કારણે ભાજપને નુકસાન, ક્ષત્રિયોની ફરી માફી માંગી | 2024-05-08 11:49:23
જો ક્ષત્રિય સમાજનો 7 બેઠકો પર ભાજપની હારનો દાવો સાચો પડશે, તો આ ભાજપની પડતીની શરૂઆત હશે ? | 2024-05-08 09:51:57
રાજ્યના આ 3 ગામોમાં એક પણ વોટ ન પડ્યો, લોકોએ લોકસભા ચૂંટણીનો કર્યો બહિષ્કાર | 2024-05-08 08:45:06
Breaking News: ગુજરાતમાં શાતિપૂર્ણ માહોલમાં સરેરાશ 59.51 ટકા મતદાન,ચૂંટણીપંચે કરી આ મહત્વની વાત | 2024-05-07 19:30:11