નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન G-20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યાં છે. તેમણે દિલ્હીમાં G-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.બંને નેતાઓએ દ્વિપક્ષીય વાટાઘાટોમાં અંતરિક્ષ ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. ઉપરાંત બેઠકમાં જો બાઇડેને UNSC માટે ભારતની ઉમેદવારીનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોના સંદર્ભમાં એક સંયુક્ત નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં બંને નેતાઓએ યુએસ નૌકાદળની અસ્કયામતો માટે જાળવણી અને સમારકામ કેન્દ્ર તરીકે ભારતના ઉદભવ અને ભારતીય શિપયાર્ડ્સ સાથે માસ્ટર શિપ રિપેર એગ્રીમેન્ટ્સનું સ્વાગત કર્યું હતું.
ભારત અને અમેરિકાએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)માં તેમની વચ્ચેના છેલ્લા વિવાદનું સમાધાન પણ કરી લીધું છે. આ વિવાદ મરઘાં ઉત્પાદનોને લગતો છે. રાષ્ટ્રપતિ જો બાઇડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બાદ બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરી હતી. આ સાથે, બંને દેશોએ પરસ્પર સહમતિથી WTOમાં તેમના તમામ સાત વિવાદોનું સમાધાન કર્યું છે. જૂન, 2023માં છ વિવાદોના સમાધાન બાદ હવે તેનું સમાધાન થઈ ગયું છે. જૂનમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન છ વિવાદો ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે ભારતે અમેરિકાની કેટલીક કૃષિ પેદાશો પર ટેક્સ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. હવે, સાતમા વિવાદના નિરાકરણ પછી, ભારતે યુએસથી ફ્રોઝન ટર્કી, ફ્રોઝન ડક, ફ્રેશ, ફ્રોઝન અને ડ્રાય બ્લૂબેરી અને ક્રેનબેરીની આયાત પર ટેક્સ નાબૂદ કરવાની મંજૂરી આપી છે.
ગત મહિને અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઈ અને ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વચ્ચે પોલ્ટ્રી ઉત્પાદનો સંબંધિત વિવાદ પર ચર્ચા થઈ હતી. અમેરિકાએ આ કરાર બાદ જારી કરેલા એક નિવેદનમાં કહ્યું છે કે આ વિવાદના સમાધાન બાદ અમેરિકન કૃષિ અને પોલ્ટ્રી ઉત્પાદનોને ભારતમાં એક મોટું ગ્રાહક બજાર મળશે.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઇડેન વચ્ચેની દ્વિપક્ષીય બેઠક બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું કે બંને દેશોએ 2023 ના અંત સુધીમાં માનવ અવકાશ ઉડાન માટે વ્યૂહાત્મક માળખું તૈયાર કરવા માટે વાતચીત શરૂ કરી છે. બંને દેશો 2024માં ભારતીય અવકાશયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવાની યોજના બનાવી રહ્યાં છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ગ્રહ સંરક્ષણ પર સંકલન વધારવાનો ઇરાદો ધરાવે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Prime Minister @narendramodi and @POTUS @JoeBiden are holding talks at 7, Lok Kalyan Marg in Delhi.
Their discussions include a wide range of issues and will further deepen the bond between India and USA.
ગૃહમંત્રી અમિત શાહે કાપી પતંગ, લપેટ લપેટની બૂમો સાથે કાર્યકર્તાઓનો દેખાયો ઉત્સાહ | 2025-01-14 12:19:20
ધોળકામાં ગુસ્સે ભરાયેલી જનતાએ અધિકારી પર કર્યો નકલી નોટોનો વરસાદ, જુઓ વાયરલ વીડિયો- Gujarat Post | 2025-01-14 11:55:58
વરઘોડો ન કાઢવા લાંચ...અમદાવાદના નિકોલમાં પોલીસ કોન્સ્ટેબલ રૂ.65,000ની લાંચ લેતા ઝડપાયો- Gujarat Post | 2025-01-14 11:44:25
રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post | 2025-01-14 11:39:46
ACB ટ્રેપઃ વડોદરાની ડેસર મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો | 2025-01-14 11:38:09
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યાં બાદ ટ્રમ્પ બિઝનેસ કરી શકશે કે નહીં ? | 2025-01-11 11:57:26
હોલીવુડ સ્ટુડિયો માટે ખતરો....અમેરિકામાં વોર્નર બ્રધર્સ-વોલ્ટ ડિઝની સ્ટુડિયો પણ આગમાં, જુઓ તસવીરો | 2025-01-09 15:18:06
તિબેટમાં ભૂકંપના કારણે તબાહી મચી, 126 લોકોનાં મોતના અહેવાલ | 2025-01-07 11:08:53
Fact Check: શું ચીને ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે ? જાણો આ વાયરલ દાવાની સત્યતા | 2025-01-06 17:24:09
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
ભોપાલ: 52 કિલો સોનું અને રૂ.10 કરોડ રોકડા લઈને જંગલમાં કોણ પહોંચ્યું હતું ? સૌરભ શર્મા કેસમાં મોટો ખુલાસો | 2025-01-12 10:32:29
ભાજપના નેતાના ઘરે ગયેલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ ચોંકી ગયા, 4 મગર મળી આવ્યાં | 2025-01-11 11:53:54
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોધરા રમખાણો પર ખુલીને બોલ્યા, જાણો શું કહ્યું આ ઇન્ટરવ્યુંમાં ? | 2025-01-10 17:41:51