કરાચીઃ પાકિસ્તાનમાં શુક્રવારે બપોરે એક ગોઝારી ટ્રેન દુર્ઘટનામાં 19 શીખ શ્રદ્ધાળુઓનાં મોત થઇ ગયા છે. શીખ શ્રદ્ધાળુઓ એક બસમાં લાહોરથી કરાચી જઇ રહ્યાં હતા ત્યારે આ બસ શાહ હુસૈન એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઇ ગઇ હતી. આ દુર્ઘટના ફારૂકાબાદ સ્ટેશન પાસે બની હતી. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ધ ડોન અનુસાર 15 શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા.
રેલવે અધિકારીઓએ કહ્યું કે અકસ્માતનું કારણ ફાટક વિનાનું રેલવે ક્રોસિંગ છે. શાહ હુસૈન એક્સપ્રેસ અહીં ફુલ સ્પીડમાં પસાર થતી હતી. આ સમયે બસના ડ્રાઇવરે પણ ગેટ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરિણામે આ દુર્ઘટના સર્જાઇ હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. રેલવે મંત્રી શેખ રશીદે તપાસના આદેશ આપ્યાં છે. રિપોર્ટ પ્રમાણે બધા શીખ શ્રદ્ધાળુઓ નનકાના સાહિબથી પરત આવી રહ્યાં હતા.
પાકિસ્તાનમાં ગત વર્ષે ઓક્ટોબરમાં તેજગામ રેલવે દુર્ઘટના થઇ હતી. તેમાં 89 લોકોનાં મોત થયા હતા. ત્યારે ઈમરાન ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો નવાઝ શરીફના સમયનો હતો. ત્યારે ઈમરાને રેલવે દુર્ઘટના બાદ રેલમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. જોકે તેજગામ દુર્ઘટના બાદ રેલવે મંત્રી શેખ રશીદનો ઇમરાને બચાવ કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
મોદીએ કહ્યું આ વ્યક્તિએ મારા લાખો ભારતીયોનું અપમાન કર્યું, કલાકોમાં જ સૈમ પિત્રોડાના રાજીનામાના અહેવાલ આવ્યાં | 2024-05-08 22:43:20
Google એ ભારતમાં લોન્ચ કરી તેની Wallet એપ, Google Pay ને લઇને તમારે આ જાણવું જરૂરી છે | 2024-05-08 17:36:14
ગુજરાતમાં ચૂંટણીઓમાં પણ ગુંડારાજ....મહિસાગરમાં ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હોવાનો વીડિયો આવ્યો સામે | 2024-05-08 15:24:38
પહેલી જ વખત વડાપ્રધાન મોદીનો રાહુલ પર આવો પ્રહાર, અદાણી-અંબાણી પાસેથી તમે કેટલા રૂપિયા લઇને બોલવાનું બંધ કર્યું ? | 2024-05-08 14:20:40
મોદીની એટલી જ ચિંતા હતી તો પહેલા જ રૂપાલાએ રાજકોટ બેઠક કેમ ન છોડી ? હવે કહ્યું મારા કારણે ભાજપને નુકસાન, ક્ષત્રિયોની ફરી માફી માંગી | 2024-05-08 11:49:23
જે લોકોએ રસી લીધી છે તેમનું શું ? કોરોના રસીની આડઅસરના ખુલાસા પછી એસ્ટ્રાઝેનેકાએ દુનિયાભરમાંથી રસી પાછી મંગાવી | 2024-05-08 09:37:03
પુતિન શપથગ્રહણ કરે તે પહેલા જ ઝેલેન્સકીની થવાની હતી હત્યા, જાણો છેલ્લી ક્ષણે કેવી રીતે બચી ગયા ? | 2024-05-08 09:04:40
હોસ્પિટલમાં ઘૂસી આવેલા એક શખ્સે એક- એક કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા, અનેકને ઘાયલ કર્યાં | 2024-05-07 18:59:30
આતંકી નિજ્જરની હત્યાના કેસમાં 3 ભારતીયોની ધરપકડ, કેનેડાએ ફરી ભારત પર આરોપ લગાવતા એસ જયશંકર લાલઘૂમ | 2024-05-05 11:46:35