Sat,20 April 2024,2:23 pm
Print
header

શ્રીનગરઃ જોજીલા પાસેની ઊંડી ખીણમાં ગાડી ખાબકી, સુરતના એક યુવક સહિત 9 લોકોનાં મોત - Gujarat Post

શ્રીનગરઃ લેહથી શ્રીનગર જતી એક ટવેરા ગાડી રસ્તા પરથી 500 ફૂટ નીચે ખીણમાં પડી જતાં 9 લોકોનાં થઇ ગયાં છે. પોલીસ, સેના અને સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. આ અકસ્માતમાં સુરતના 36 વર્ષીય યુવકનું મોત થયું છે. મૃતક અંકિત સંઘવી ટૂર-સંચાલક છે, તેના પરિવારમાં પત્ની, બે બાળકો, માતા-પિતા, એક બહેન અને ભાઈ છે. શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલા નંબર પરથી તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપી હતી. 

મૃતકો પૈકીના 2 લોકો જમ્મુ-કાશ્મીરના છે, બાકીના અન્ય રાજ્યના પર્યટકો હતા. સોનમર્ગ પોલીસ અને સ્થાનિક લોકોએ ડ્રાઈવરને ખાઈમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.હોસ્પિટલના તબીબોએ ડ્રાઈવરને મૃત જાહેર કર્યો હતો. અંકિત સંઘવી ટૂર-સંચાલક હોવાને કારણે જમ્મુ-કાશ્મીર તેમજ અન્ય રાજ્યોમાં જતા હતા. આ ઘટનાથી સંઘવી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch