નવી દિલ્હીઃ પટિયાલા હાઉસ કોર્ટે કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.આ કેસમાં યાસીન મલિકને દોષી ઠેરવ્યાં પછી સજાનું એલાન કરાયું છે.
પટિયાલા હાઉસ કોર્ટમાં NIAની વિશેષ કોર્ટે સજાની જાહેરાત કરી છે. સજાના એલાન બાદ યાસીન મલિકના ઘરની બહાર તેના સમર્થકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યાં હતા. જેની સામે જવાનોએ હવામાં ગોળીબાર કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. શ્રીનગરની આજુબાજુના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિકે ટેરર ફંડિંગના કેસમાં પોતાનો ગુનો કબૂલી લીધો હતો.19 મેના રોજ ન્યાયાધીશ પ્રવીણ સિંહે યાસીનને દોષિત ઠેરવ્યો હતો, NIAને તેની નાણાંકીય સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતુ.
યાસીન મલિક પર ગુનાહિત ષડયંત્ર, દેશ વિરુદ્ધ યુદ્ધ, અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓ, કાશ્મીરમાં શાંતિ ભંગના આરોપ હતા.આ કેસમાં તેને ગુનો કબૂલી લીધો હતો. સુનાવણીની છેલ્લી તારીખે તેને કોર્ટને કહ્યું હતુ કે તે કલમ 16 (આતંકવાદી અધિનિયમ), 17 (આતંકવાદી અધિનિયમ માટે ભંડોળ એકત્ર કરવું), 18 (આતંકવાદી કૃત્ય કરવા માટેનું કાવતરું), UAPAની કલમ 20 (એકના સભ્ય તરીકે) સજા આપી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું), 124-એ (રાજદ્રોહ) સહિત તેની સામે લગાવવામાં આવેલા આરોપો સામે તે હવે લડશે નહીં. મલિક 2019થી દિલ્હીની તિહાર જેલમાં કેદ છે.
યાસીન મલિકની સજા અંગેના નિર્ણયને લઈને જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે.શ્રીનગરના લાલ ચોકમાં પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. યાસીન મલિકે કોર્ટરૂમમાં પોતાનો બચાવ કરતા કહ્યું હતુ કે જો હું 28 વર્ષોમાં કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિમાં સામિલ હોવ અને તમે આ સાબિત કરી દો તો હું રાજકારણમાંથી નિવૃત્ત થઈ જઇશ અને મોતની સજા પણ સ્વીકારી લઇશ, તેને એમ પણ કહ્યું કે મે 7 વડાપ્રધાનોના સમયમાં કામ કર્યું છે.
પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાને યાસીન મલિકને સજા આપવાના આદેશનો વિરોધ કર્યો છે. ઈમરાને લખ્યું છે કે, હું કાશ્મીરી નેતા યાસીન મલિક સામે મોદી સરકારની ફાસીવાદી નીતિનો વિરોધ કરૂં છું, મલિકને ખોટા આરોપોમાં સજા આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે ફાંસીવાદી મોદીનો વિરોધ કરવો જોઇએ.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કૉંગ્રેસનો આરોપ, જાણો શું કહ્યું?Gujaratpost
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યા, અમિત શાહ પણ પહોંચ્યા હતા સર્કિટ હાઉસ - GujaratPost
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની અટકાયત કરી- Gujratpost
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં બળવાખોરો પર ઉદ્ધવ આક્રમક, મુંબઈમાં કલમ 144 લાગૂ-Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યુ - Gujaratpost
2022-06-25 15:35:11
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27
તપન કુમાર ડેકા બન્યાં દેશના નવા IB ચીફ, રો ચીફ સામંતને એક વર્ષનું એક્સટેંશન- Gujaratpost
2022-06-24 21:30:05
રશિયા-યુક્રેન યુદ્ધના 4 મહિના, હવે આવી શકે છે સૌથી ખતરનાક સમય ! Gujarat Post
2022-06-24 09:07:07
અમેરિકામાં થયેલા ગોળીબારમાં ભારતીયનું મોત, માતા-પિતાએ કહ્યું અમે પહેલા જ જવાની પાડી હતી ના- Gujarat Post
2022-06-23 10:28:25
UPમાં ભયંકર અકસ્માત, હરિદ્વારથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓનાં મોત, મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post
2022-06-23 09:15:26
પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર મામલે IAS અધિકારીની કરી ધરપકડ- Gujarat Post
2022-06-21 10:51:36