Thu,25 April 2024,10:32 pm
Print
header

ભાજપના કોઇ નેતા જો અપક્ષમાં ઉમેદવારી કરશે તો તેને પાર્ટી વિરોધી ગણીને કરાશે સસ્પેન્ડ - Gujarat Post News

પાટીલે કહ્યું  182 સીટો પર 4100 આગેવાનોએ માંગી હતી ટિકિટ 

ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  કેટલાક ભાજપના નેતાઓથી નારાજ છે, જે નેતાઓ ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષમાંથી લડવા તૈયાર થયા છે, તેમને ચીમકી આપવામાં આવી છે, આવા નેતાઓને સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ નિર્ણય લીધો છે. ભાજપમાંથી કોઈ પણ નેતા વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ફોર્મ ભરશે અને ફોર્મ પરત નથી લે તો તેમની સામે પગલા લેવાશે. વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યાં છે આ મામલે પાટીલે કહ્યું કે 182 સીટો પર 4100 આગેવાનોએ ટિકિટ માંગી હતી. બધાને ટિકિટ આપવી શક્ય નથી, પાર્ટી નક્કિ કરે તે જ ફાઇનલ હોય છે. 

કેટલાક નેતાઓને ટિકિટ ન મળતા કમલમ ખાતે તેમના સમર્થકોને વિરોધ કરવા મોકલ્યાં હતા.જેના પર પાટીલે જણાવ્યું કે લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ છે ત્યારે ટિકિટ મળે કે ન મળે તેનાથી નારાજગી દર્શાવી શકે છે. અને અહીં તેઓ માત્ર નારાજગી દર્શાવીને રજૂઆત કરવા જ આવ્યાં હતા, તેમને અહીં કોઇ ઘર્ષણ નથી કર્યું અને કોઇ નુકસાન પણ કર્યું નથી. રજૂઆત કરવી તે દરેક કાર્યકરનો અધિકાર છે. નોંધનિય છે કે બાયડ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ પાર્ટી સામે બળવો કર્યો છે, તેમના સમર્થકોએ પણ કમલમનો ઘેરાવો કર્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch