વડોદરાઃ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા પુલ અકસ્માતમાં 21 લોકોનાં મોત બાદ સરકારે કડક પગલાં લીધા છે. આ અકસ્માત બાદ, રાજ્ય સરકારે પ્રાથમિક અહેવાલને આધારે માર્ગ અને મકાન (R&B) વિભાગના ચાર અધિકારીઓને દોષી ઠેરવીને સસ્પેન્ડ કર્યા હતા, સરકારે આ ચારેય સામેની તપાસ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) ને સોંપી દીધી છે. ગુજરાત એસીબીએ આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે.
આ ટીમમાં DIG મકરંદ ચૌહાણના નેતૃત્વમાં એક SP અને ચાર ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. આ ટીમ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ દ્વારા સત્તાના દુરુપયોગ અને ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરવાની તપાસ કરશે. SIT એ શુક્રવારથી જ તપાસ શરૂ કરી દીધી છે. આ ટીમ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ દ્વારા સત્તાના દુરુપયોગ અને ગેરકાયદેસર સંપત્તિ એકઠી કરવાની તપાસ કરશે. SIT એ શુક્રવારથી જ તપાસ શરૂ કરી દીધી છે.
જે અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે તેમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યકારી ઇજનેર એન.એમ નાયકાવાલા, નાયબ કાર્યકારી ઇજનેર યુસી પટેલ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર.ટી.પટેલ અને આસિસ્ટન્ટ એન્જિનિયર જેવી શાહનો સમાવેશ થાય છે. SIT ટીમ આ અધિકારીઓના ઘર પર દરોડા પાડશે અને જરૂરી દસ્તાવેજો અને અન્ય પુરાવા એકત્રિત કરશે.
ગુજરાત એસીબી ડીવાયએસપી જે.વી.પઢેરિયાએ જણાવ્યું કે નિયમો મુજબ ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલાં તમામ પુલોનું ટેકનિકલ નિરીક્ષણ કર્યા પછી રિપોર્ટ તૈયાર કરવો પડે છે. જો પુલમાં કોઈ ખામી જોવા મળે, તો તેનું સમારકામ, ભારે વાહનોની અવરજવર બંધ કરવા અથવા પુલ બંધ કરવા જેવા પગલાં લેવા પડશે.
ગંભીરા બ્રિજના કિસ્સામાં આવું કોઈ પગલું લેવામાં આવ્યું ન હતું. પુલને તમામ પ્રકારના વાહનો માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. આ બેદરકારીને કારણે પુલ તૂટી પડ્યો અને ઘણા વાહનો મહિસાગર નદીમાં પડી ગયા, જેના કારણે 21 લોકોનાં મોત થયા. એક તરફ, જિલ્લા પોલીસ આ અકસ્માતમાં ફોજદારી તપાસ કરી રહી છે, ત્યારે હવે ACB ની SIT ટીમ ભ્રષ્ટાચાર અને મિલકત સંબંધિત પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
ગોધરામાં યુવાનની સગાઈના દિવસે જ નીકળી અર્થી, મકાનમાં આગ લાગતા વરરાજા સહિત 4 લોકોના મોત | 2025-11-21 09:49:19
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ | 2025-11-09 10:39:04
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા | 2025-10-31 08:45:04
ગોધરામાં હજારો લોકોએ સંત રાજીન્દર સિંહજી મહારાજના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી | 2025-10-25 19:45:07