Fri,26 April 2024,1:52 am
Print
header

લગ્નના વરઘોડામાં ગયેલી કિશોરીની જિંદગી બરબાદ કરી નાખી, ત્રણ નરાધમોએ 13 વર્ષની કિશોરી પર આચર્યું દુષ્કર્મ

પ્રતિકાત્મક ફોટો 

વડોદરાઃ રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. વડોદરાના જિલ્લાના ડેસર તાલુકાના કોઠારા ગામમાં એક 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મની સનસનીખેજ ઘટના બની છે. ત્રણ નરાધમોએ કિશોરીની જિંદગી બરબાદ કરી નાખી છે. ધોરણ 8 માં અભ્યાસ કરતી કિશોરી રાતના સમયે ગામમાં લગ્નના વરઘોડામાં ગઇ હતી તે સમયે જ આ નરાધમો તેને નજીકના ખેતરમાં લઇ ગયા હતા અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ. હાલમાં કિશોરીને મેડિકલ સારવાર આપવામાં આવી છે.

આ સનસનીખેજ બનાવની કિશોરીએ પોતાના પરિવારને જાણ કરી હતી બાદમાં પોલીસ કેસ નોંધાતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે અને અન્ય બે આરોપી હાલમાં ફરાર છે જેમને પોલીસ શોધી રહી છે. ત્યારે આ ઘટનાથી ગામમાં ત્રણેય નરાધમો સામે રોષ ફાટી નીકળ્યો છે.પોલીસ ફરાર થઇ ગયેલા 2 આરોપીઓની શોધી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch