Fri,19 April 2024,4:31 am
Print
header

વડગામમાં મેવાણીના સમર્થનમાં પહોંચ્યાં કન્હૈયાકુમાર, કહ્યું ગૃહમંત્રી અમિત શાહે પોતાના પુત્રને BCCIના સેક્રેટરી બનાવી દીધા- Gujarat Post News

વડગામઃ કોંગ્રેસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વડગામ બેઠક પરથી મેદાને ઉતાર્યાં છે, મેવાણીએ આજે ઉમેદવારી નોંધાવી હતી, આ દરમિયાન કોંગ્રેસ નેતા કન્હૈયાકુમારે અહીં રેલીને સંબોધી હતી, જ્યાં તેમને ભાજપ, મોદી અને શાહ પર આકરા પ્રહાર કર્યાં હતા, કહ્યું ભાજપ જ પરિવારવાદ કરે છે, ગૃહમંત્રી અમિત શાહે તેમના પુત્ર જય શાહને બીસીસીઆઇના સેક્રેટરી બનાવી દીધા.. આ પરિવારવાદ નથી તો શું છે ?

કન્હૈયા કુમારે કહ્યું કે ભાજપવાળાઓ પહેલા ડરાવે છે અને જો તમે ના માનો તો તમને જેલમાં બંધ કરી દેશે. તમને રૂપિયાની લાલચ આપશે અને છેલ્લે ગોળી મારી દેશે, કન્હૈયા કુમારે કહ્યું કે તમે મેવાણીને જીતાડજો, આ વખતે પરિવર્તન જરૂરી છે. ભાજપના ગુજરાત મોડલની લોકો ટિકા કરી રહ્યાં છે, મોરબી જેવી ઘટનાઓથી ભાજપ બદનામ છે.

અમે તમને જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દાઓ પર દેશવિરોધી નિવેદનો અને કૃત્યોના આરોપ બાદ કન્હૈયા સામે પોલીસે કાર્યવાહી કરી હતી,બાદમાં કન્હૈયાએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. તે વારંવાર પીએમ મોદી પર વ્યક્તિગત ટિપ્પણીઓ કરી ચુક્યા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch