ઉત્તર પ્રદેશઃ મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જ્યાં એક બોલેરો અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. જેના કારણે 10 લોકોનાંં મોત થયા છે. જ્યારે 19 ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે બોલેરોના ટુકડા થઈ ગયા હતા.
ઘટના અંગે ડીસીપી જણાવ્યું કે છત્તીસગઢથી મહાકુંભમાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બોલેરો બસ સાથે અથડાતા 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માત શુક્રવારે રાત્રે લગભગ 12 વાગ્યે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર મેજા પોલીસ સ્ટેશન હેઠળ થયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્વરૂપ રાની મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આગળની પ્રક્રિયા હજુ ચાલુ છે.
કુંભ મેળામાં સંગમ સ્નાન માટે શ્રદ્ધાળુઓ જઇ રહ્યાં હતા
બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓ છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા.આ લોકો કુંભ મેળામાં સંગમ સ્નાન માટે આવી રહ્યાં હતા. મળતી માહિતી મુજબ તમામ મૃતકોની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે છે અને તમામ પુરુષો છે.
આ અકસ્માતમાં સંગમ સ્નાન બાદ વારાણસી જઈ રહેલી બસમાં મુસાફરી કરી રહેલા 19 શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યાં છે. બસમાં મુસાફરી કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે. મુખ્યમંત્રી આદિત્યનાથે આ દુ:ખદ દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56