અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા અને ઊના તાલુકામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. હરમડીયા, પૂછવી, ધોકડવા અને બેડીયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કંસારી રોડ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખાસ કરીને કેસર કેરી પકવતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખેતરમાં તૈયાર પડેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, 6 મે ના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબીનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં પણ આગાહી છે. આ વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની શક્યતા છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
કલાકોમાં જ કરોડો રૂપિયાની ચાંદી જપ્ત, પહેલા રાજકોટમાંથી 280 કિલો અને પછી અમદાવાદમાંથી 100 કિલો ચાંદી પકડાઇ | 2026-05-17 19:46:26
જાણો, સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીએ શું કહ્યું ? | 2026-05-11 15:08:04
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ, પીએમ મોદી અમૃત મહોત્સવમાં ભાગ લેશે | 2026-05-10 09:03:45