નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશા સહિત પૂર્વીય તટો પર આવેલા મોન્થા વાવાઝોડાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયા છે. હવામાનમાં આવેલા ફેરફારને લીધે દિલ્હી, બિહાર અને યુપીની સાથે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. તેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે આજે પૂર્વીય યુપીના 17 જિલ્લાઓ માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અહીં હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ છે. આ દરમિયાન તેજ પવન ફૂંકાઈ શકે છે. 31 ઓક્ટોબરના રોજ મઉ, વારાણસી, જૌનપુર અને પ્રયાગરાજ સહિતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત અયોધ્યા, બારાબંકી, જાલૌન, બરેલી અને રાયબરેલીમાં પણ વરસાદની સંભાવના છે.
દિલ્હીમાં 30 ઓક્ટોબરના રોજ હળવો વરસાદ થવાના આસાર છે. હવામાન વિભાગે કહ્યું કે બિહારના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે. બુધવારે પણ લગભગ 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. જો કે, હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે બિહારમાં આગામી 48 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ જો વરસાદ પડશે તો ઠંડી વધવાની સંભાવના છે.
Balasore, Odisha: Heavy rain lashed Balasore late last night, causing waterlogging in several areas including Remuna Balia Road, Cinema Bazaar and Azamabad Road pic.twitter.com/SY2yvumfYm
— IANS (@ians_india) October 30, 2025
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયોને ફોન પર કહ્યું કે આ હુમલો કોઈપણ રીતે વાજબી નથી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19