Sun,16 November 2025,6:22 am
Print
header

ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત: મોન્થા વાવાઝોડાને કારણે હવામાનમાં પલટો, યુપી- બિહારમાં વરસાદ

  • Published By
  • 2025-10-30 08:55:25
  • /

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશા સહિત પૂર્વીય તટો પર આવેલા મોન્થા વાવાઝોડાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયા છે. હવામાનમાં આવેલા ફેરફારને લીધે દિલ્હી, બિહાર અને યુપીની સાથે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. તેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આજે પૂર્વીય યુપીના 17 જિલ્લાઓ માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અહીં હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ છે. આ દરમિયાન તેજ પવન ફૂંકાઈ શકે છે. 31 ઓક્ટોબરના રોજ  મઉ, વારાણસી, જૌનપુર અને પ્રયાગરાજ સહિતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત અયોધ્યા, બારાબંકી, જાલૌન, બરેલી અને રાયબરેલીમાં પણ વરસાદની સંભાવના છે.

દિલ્હીમાં 30 ઓક્ટોબરના રોજ હળવો વરસાદ થવાના આસાર છે. હવામાન વિભાગે કહ્યું કે બિહારના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે. બુધવારે પણ લગભગ 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. જો કે, હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે બિહારમાં આગામી 48 કલાકમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ જો વરસાદ પડશે તો ઠંડી વધવાની સંભાવના છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch