આવતીકાલે આવેદનપત્ર આપવામાં આવશે
હાઈકોર્ટમાં જવાની પણ બલોચ સમાજની તૈયારી
જૂનાગઢઃ તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધર વિવાદમાં સપડાઈ છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલાયેલા એક સંવાદને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમાજે સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક ચોક્કસ ડાયલોગ પર સખત વાંધો ઉઠાવ્યો છે અને તેને પોતાનું અપમાન ગણાવ્યું છે.
બલોચ સમાજની નારાજગીનું મુખ્ય કારણ હંમેશાં બોલતા હૂં બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહી આ ડાયલોગ છે.
બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીનું કહેવું છે કે આ પ્રકારના અભદ્ર ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે અને સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. તેમનું માનવું છે કે માત્ર પૈસાની કમાણી કરવા માટે ચોક્કસ જ્ઞાતિને નિશાન બનાવવામાં આવી છે.
બલોચ મકરાણી સમાજ દ્વારા આ મામલે જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં ફિલ્મનાં અભિનેતા (સંજય દત્ત), ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર આદિત્ય ધર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ વિરોધના ભાગરૂપે સમાજના આગેવાનોએ આવતીકાલે જિલ્લાકક્ષાએ આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લીધો છે.
એજાજ મકરાણીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગામી દસ દિવસની અંદર આ મામલે સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો બલોચ મકરાણી સમાજ ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટ નાં દ્વાર ખખડાવશે. તેમનું માનવું છે કે આવા અભદ્ર વર્તન કરનારા કલાકારો, દિગ્દર્શકો અને લેખકોને રોકવા જરૂરી છે, નહીં તો ભવિષ્યમાં અન્ય સમાજોની લાગણીઓ પણ દુભાશે અને સામાજિક તંગદિલી વધશે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધુરંધરના નિર્માતા જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર માધવન, અર્જુન રામપાલ વગેરે કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
સોમનાથનું આકાશ બન્યું શિવમય, પીએમ મોદીએ ડ્રોન શોની ભવ્ય તસવીરો કરી શેર | 2026-01-11 09:20:10
મોદીની ગુજરાત મુલાકાતનો ક્રાયક્રમ, સોમનાથ મંદિરમાં પૂજા, રાજકોટમાં ટ્રેડ શો, અમદાવાદમાં જર્મન ચાન્સેલર સાથે મુલાકાત | 2026-01-10 13:25:58
ACB ટ્રેપઃ મહેસાણામાં ડેટા એન્ટ્રી ઓપરેટર રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા | 2026-01-10 13:17:22
નકલી લગ્ન અને નકલી છૂટાછેડા.. ભરૂચમાં યુકે વિઝા માટે મોટું કૌભાંડ | 2026-01-09 15:39:58