મૃતક સગાભાઈઓ મજૂરી કામેથી પરત ફરતા હતા
બંને દીકરાઓ અને પુત્રવધૂ પર છરી વડે હુમલો કર્યો
રાજકોટઃ દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટના આંબેડકરનગર વિસ્તારમાં એક નાની બાબતને લઈને ત્રણ લોકોની હત્યા થતાં આખા શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. કાળી ચૌદશની મોડી રાત્રે વાહન અથડાવવા જેવી બાબતમાં બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બે સગા ભાઈઓ સુરેશ વશરામ પરમાર (ઉંમર 45) અને વિજય વશરામ પરમાર (ઉંમર 40 વર્ષ) ની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
આ હુમલો કરનાર જૂથના અરુણ બારોટ નામના શખ્સની પણ હત્યા થઇ હતી. એક સાથે ત્રણ હત્યા થવાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો રાત્રે ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો.
મૃતક બંને ભાઈઓના પિતાએ જણાવ્યું કે તેમના બંને દીકરાઓ મજૂરી કરીને રાત્રે ઘરે પાછા ફરતા હતા ત્યારે રાત્રે 10:30 થી 11:00 વાગ્યાની આસપાસ તેમનું વાહન અથડાયું હતું. તેમને સામે જોઈને વાહન ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી, જે પછી સામેવાળા લોકોએ તેમના બંને દીકરાઓ અને પુત્રવધૂ પર છરી વડે હુમલો કર્યો, જેમાં બંને દીકરાઓનાં મોત થયા હતા. હાલમાં પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
રાજકોટમાં બેકાબૂ BMW એ ટુ-વ્હીલરને ટક્કર મારતા યુવાનનું મોત, કાર ચાલકે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું | 2025-11-10 16:26:23
અમરેલીમાં ભાજપને ફટકો, ખેડૂત પેકેજથી નારાજ ચેતન માલાણીએ રાજીનામું આપ્યું | 2025-11-08 13:15:55
Acb ટ્રેપઃ મોરબીમાં PGVCL ના નાયબ ઇજનેર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-11-08 09:42:03
અમરેલીમાં સહાયની રાહ જોતાં ખેડૂતોનો આક્રોશ: બગડેલો પાક સળગાવ્યો | 2025-11-07 19:30:56