Sun,16 November 2025,5:10 am
Print
header

રાજકોટ થયું રક્તરંજિત, બે સગા ભાઈઓ સહિત ત્રણની હત્યાથી શહેરમાં ખળભળાટ- Gujart Post

  • Published By panna patel
  • 2025-10-20 11:06:38
  • /

મૃતક સગાભાઈઓ મજૂરી કામેથી પરત ફરતા હતા

બંને દીકરાઓ અને પુત્રવધૂ પર છરી વડે હુમલો કર્યો

રાજકોટઃ દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટના આંબેડકરનગર વિસ્તારમાં એક નાની બાબતને લઈને ત્રણ લોકોની હત્યા થતાં આખા શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. કાળી ચૌદશની મોડી રાત્રે વાહન અથડાવવા જેવી બાબતમાં બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બે સગા ભાઈઓ સુરેશ વશરામ પરમાર (ઉંમર 45) અને વિજય વશરામ પરમાર (ઉંમર 40 વર્ષ) ની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.

આ હુમલો કરનાર જૂથના અરુણ બારોટ નામના શખ્સની પણ હત્યા થઇ હતી. એક સાથે ત્રણ હત્યા થવાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો રાત્રે ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો.

મૃતક બંને ભાઈઓના પિતાએ જણાવ્યું કે તેમના બંને દીકરાઓ મજૂરી કરીને રાત્રે ઘરે પાછા ફરતા હતા ત્યારે રાત્રે 10:30 થી 11:00 વાગ્યાની આસપાસ તેમનું વાહન અથડાયું હતું. તેમને સામે જોઈને વાહન ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી, જે પછી સામેવાળા લોકોએ તેમના બંને દીકરાઓ અને પુત્રવધૂ પર છરી વડે હુમલો કર્યો, જેમાં બંને દીકરાઓનાં મોત થયા હતા. હાલમાં પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch