અમદાવાદઃ ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું છે. જેના કારણે રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ છે, એક તરફ વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે છે તેવા સમયે સેન્સેક્સે 60 હજારની સપાટી કૂદાવી દીધી છે.છેલ્લા થોડા સમયની શેરબજારની મૂવમેંટ જોઈને ઘણા નિષ્ણાતો ટૂંક સમયમાં જ સેન્સેક્સ 60 હજારની સપાટી કૂદાવશે તેવી આગાહી કરતા હતા અને હવે તેે મુજબ જ થયું છે.આ દરમિયાન રોકાણકારો પણ માલામાલ થઇ ગયા છે.
ચાલુ વર્ષે ગુજરાતની 14 કંપનીઓએ રોકાણકારોને બખ્ખાં કરાવી દીધા છે, તેમણે રોકાણ કરેલા રૂપિયાનું બમણું કે તેથી વધુ વળતર આપ્યું છે. 1 જાન્યુઆરી 2021 થી 24 સપ્ટેમ્બર 2021 સુધી 7 થી વધારે કંપનીઓએ 200 ટકાથી વધારે વળતર આપ્યું છે. આ કંપનીઓમાં ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ, આર એન્ડ બી ડેનિમ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ, મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ, પીજી ફોઈલ્સ લિમિટેડ અને ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ સામેલ છે. આ સિવાય અન્ય સાત કંપનીઓના શેર 100 ટકાથી 197 ટકા સુધી વધ્યા છે. જેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, નંદન ડેનિમ લિમિટેડ, દીપક નાઇટ્રાઇટ લિમિટેડ, ગુજરાત થેમિસ બાયોસિન લિમિટેડ, જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટસ લિમિટેડ, અમિ ઓર્ગેનિક્સ અને તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડનો સમાવેશ થાય છે. જે પૈકી તત્વ ચિંતન ફાર્માનો આઈપીઓ થોડા સમય પહેલા જ આવ્યો હતો.આઠ કંપનીઓએ 50 થી 99 ટકા સુધી વળતર આપ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03