નવી દિલ્હીઃ કોરોના ક્રાઇસિસના કારણે લોકોના પૈસા સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આનાથી નિપટવા માટે લોકો પોતાના PF ફંડનો સહારો લઇ રહ્યા છે. પરંતુ સમજ્યા વગર આમ કરવાથી આપના રિટાયરમેન્ટ ફંડને મોટું નુકસાન થઇ શકે છે. PFના નાણાં કાઢવાની જગ્યાએ તમે અન્ય રીતો પૈસા ભેગા કરીને પૈસાની વ્યવસ્થા કરી શકે છે. અમે આપને જણાવી રહ્યા છીએ કે પીએફ ફંડથી પૈસા કાઢવા આપના રિટાયરમેન્ટ ફંડને કટેલું નુકસાન પહોંચાડશે. આ ઉપરાંત, અમે આવા 5 ઉપાય જણાવી રહ્યા છીએ જેનાથી તમે તમારા પૈસા એકઠા કરી શકો છો.
આ 5 રીતે કરી શકો છો નાણાંની વ્યવસ્થા
ગોલ્ડ લોન
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) સહિત દેશની મોટાભાગની બેન્કોએ પર્સનલ ગોલ્ડ લોનની સુવિધા શરૂ કરી છે. જે હેઠળ ગ્રાહક સોના રાખીને લોન લઇ શકે છે. SBI 7.50 ટકાના વાર્ષિક વ્યાજ દરે 20 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે. એસબીઆઇ ઉપરાંત બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક અને બેંક ઓફ બરોડા સહિતની અન્ય બેન્ક પણ ગોલ્ડ લોન આપી રહી છે.
FD પર લઇ શકો છો લોન
જો આપની પાસે કોઇ ફિક્સડ ડિપોઝિટ છે તો તેની પર લોન લઇ શકો છો. આની પર સરળતાથી અને ઓછા વ્યાજ દરે લોન મળવી. ઘણી બેન્કો એવી છે જે એફડી પર 6 ટકાથી પણ ઓછા વ્યાજે લોન આપી રહી છે.જો તમે એફડી પર લોન લો છો તો આપને ફિકસ્ડ ડિપોઝિટ પર મળનારા વ્યાજથી 1-2 ટકા વધુ વ્યાજ આપવું પડશે. જેમ કે માની લો કે તમારી એફડી પર 4 ટકા વ્યાજ મળી રહ્યું છે તો તમારે 6 ટકા વ્યાજ દર પર લોન મળી શકે છે. એફડીની વેલ્યુના 90 ટકા સુધી તમે લોન લઇ શકો છો. માની લો કે તમારી એફડીની કિંમત 1.5 લાખ રૂપિયા છે તો આપને 1.35 લાખ રૂપિયાની લોન મળી શકે છે.
ટોપ-અપ હોમ લોન
પોતાના પૈસાની જરૂરીયાતને પૂરા કરવા માટે તમે બેન્કથી ટોપ-અપ હોમ લોન પણ લઇ શકો છો. આ લોન આપને ઓછા વ્યાજે મળે છે. જો તમે હોમ લોન લીધી છે તો બેન્ક સાથે ચર્ચા કરીને તે લોન પર સરળતાથી ટૉપ અપ કરાવી શકો છો. ટૉપ અપ લોનનું વ્યાજ દર હોમ લોનથી થોડુક વધુ પરંતુ પર્સનલ લોનથી ઓછું હોય છે.
ક્રેડિટ કાર્ડ પર લોન
ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી નાણાંકીય સંસ્થાઓ કાર્ડધારકોને તેમના કાર્ડના પ્રકાર, ખર્ચ અને રિપેમેન્ટના આધારે લોન આપે છે. એકવાર એક કાર્ડધારક આ લોનનો લાભ ઉઠાવી લે છે, તો તેની ક્રેડિટ મર્યાદા તે રકમથી ઓછી થઇ જશે. જો કો, કેટલાક લોનદાતા સ્વીકૃત ક્રેડિટ મર્યાદાથી વધુ અને ક્રેડિટ કાર્ડના બદલે લોન આપે છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આની પર લોન લઇ શકો છો.
જનધન ખાતાવાળા લઇ શકે છે ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ
કેન્દ્ર સરકાર દ્ધારા ગરીબોને બેન્ક સાથે જોડવા માટે જન ધન યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અનેક પ્રકારના લાભ ગરીબોને મળે છે. જેમાં 5000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા પણ સામેલ છે. એટલે કે તમે જરૂરિયાતના સમયે લોન 5000 રૂપિયા સુધી પોતાના જન-ધન ખાતામાંથી કાઢી શકો છો. આ સુવિધાનો લાભ લેવા માટે તમારુ આધાર કાર્ડ બેન્ક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. ઓવરડ્રાફ્ટ સુવિધાનો ફાયદો ત્યારે લઇ શકાય છે જ્યારે તમારા એકાઉન્ટમાં પૈસા ન હોય. જો કે, આની પર વ્યાજ વસૂલાય છે. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે બેન્કમાં જવું પડશે.
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46