Fri,19 April 2024,4:51 am
Print
header

સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં પ્રોફેશનલી દુશ્માનવટ અંગે પણ પોલીસ તપાસ કરશે

શેખર કપૂર, કંગના રાણાવત સહિતની હસ્તીઓએ ઘટસ્ફોટ કર્યાં છે

મુંબઇઃ ભારતીય સિનેમાના કલાકાર સુશાંતસિંહની આત્મહત્યા બાદ બોલીવુડ પર અનેક સવાલ ઉભા થયા છે. ડિરેક્ટર શેખર કપૂરે ટ્વીટ કરીને કહ્યું હતુ કે હું તારી સ્થીતિ સમજી શકુ છું, કાશ હુ છેલ્લા મહિના તારી સાથે હોત.. તેમને કેટલાક ડિરેક્ટરો પર સવાલ ઉભા કર્યા હતા, કંગનાએ પણ સવાલ ઉઠાવ્યાં હતા ત્યારે હવે સુશાંતસિંહની આત્મહત્યાના કેસ પર સવાલ ઉઠાવ્યાં હતા અને આડકતરી રીતે આરોપ અન્ય લોકો પર નાખ્યાં હતા, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કરીને જણાવ્યું છે કે મુંબઇ પોલીસ કલાકારોએ ઉઠાવેલા પ્રશ્નો અંગે પણ તપાસ કરશે.ઘણા નિર્માતા અને એકટર્સના નિવેદનો પણ લેવામાં આવશે. સુશાંતસિંહે છેલ્લે જેને કોલ કર્યો હતો તે અભિનેતાઓને પણ નિવેદન માટે બોલાવવામાં આવશે.બોલીવુડના કેટલાંક કલાકારોએ આરોપ લગાવ્યો હતો કે સુશાંતસિંહ સારા કલાકાર હોવા છંતા, તેમને મોટા બેનર્સની ફિલ્મોમાંથી ઇરાદાપૂર્વક પડતા મુકવામાં આવ્યાં હતા સારી હીટ ફિલ્મો બાદ પણ તેમને એવોર્ડ આપવામાં આવ્યો ન હતો. આમ, સુશાંતસિંહની સતત અવગણના થઇ રહી હતી. જેથી તે ડીપ્રેશનમાં હતા.સૌથી આધાતજનક બાબત એ છે કે તેમના મનમાં ચાલી રહેલી મથામણ અંગે કોઇને જાણ કરી ન હતી. 

સામાન્ય રીતે સફળ કલાકારને મોટા બેનર્સ ઓફર કરતા હોય છે પણ કેટલાંક કલાકારોના કહેવાથી મોટા બેનર્સ તેમનાથી અંતર બનાવી રાખતા હતા. તેમને સિરિયલથી કારર્કિદી શરુ કરીને ભારે સઘર્ષ બાદ બોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું હતુ. ધોની ધ ટોલ્ડ સ્ટોરીએ સુશાંતને સ્ટારની કેટેગરીમાં મુકી દીધો હતો.. ત્યારે ઘણા રહસ્યો સુશાંતસિંહના મોત સાથે જ ખતમ થઇ જશે કે તપાસમાં વિગતો બહાર આવશે તે જોવુ રહ્યું..

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch