Fri,19 April 2024,7:54 am
Print
header

અભિનેતા સુશાંતસિંહની આત્મહત્યાને લઇને તેની બહેનનો ખુલાસો, જાણો શું કહ્યું ?

મુંબઇઃ ટૂંકા જ સમયગાળામાં બોલીવુડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરીને નામ કમાનાર અભિનેતા સુશાંતસિંહે બાન્દ્રા સ્થિત પોતાના ફ્લેટમાં પંખે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે, જેને લઇને અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે, આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, ત્યારે તેની બહેને ખુલાસો કર્યો છે કે સુશાંતને પૈસાને લઇને કોઇ તકલિફ ન હતી,પરંતુ છેલ્લા ઘણા સમયથી સુશાંત ચિંતિત હતો અને ડિપ્રેશનમાં રહેતો હતો, તેનો ઇલાજ પણ ચાલતો હતો, છ મહિનાથી તે દવા પણ લેતો હતો, જો કે છેલ્લા કેટલાક દિવસોથી તે દવા પણ લેતો ન હતો. તેના પરિવારે ક્યારેય વિચાર્યું ન હતુ કે સુશાંત આવું પણ પગલું ભરશે.

નોંધનિય છે કે સુશાંતસિંહના મોતથી બોલીવુડના કલાકારો દુખી છે અને બધાનું કહેવું છે કે તે આત્મહત્યા કરી જ ન શકે, તેને પૈસાની કોઇ તકલિફ ન હતી, જો કે આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી, ત્યારે પોલીસ આ મામલે સુશાંતના મિત્રોની પૂછપરછ કરી રહી છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch