Fri,19 April 2024,8:47 pm
Print
header

PM મોદીએ સુશાંતસિંગની આત્મહત્યા પર દુ:ખ વ્યક્ત કર્યું, જાણો શું કહ્યું ?

મુંબઇઃ 34 વર્ષીય અભિનેતા સુશાંતસિંહે બાન્દ્રા સ્થિત પોતોના ફ્લેટમાં પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે, તેને લઇને બોલીવુડ હચમચી ગયું છે, ફિલ્મ અભિનેતાઓ તેના આ પગલાથી હેરાન છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બનાવ પર દુખ વ્યક્ત કર્યું છે. મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે સુશાંતસિંહ રાજપૂત, બ્રાઇટ યુવા એક્ટર જલ્દી ચાલ્યો હતો, તેને બોલીવુડમાં નામ કમાયું હતુ, અનેક લોકોને પ્રેરિત કર્યા હતા. એમ.એસ.ધોની સહિતની ફિલ્મોમાં તેના અનેક યાદગાર પર્ફોમન્સ હતા. હું મુશ્કેલ ઘડીમાં તેમના પરિવાર સાથે છું.

પોલીસે હાલમાં સુશાંતસિંહની બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે, અને પટનાથી તેનો પરિવાર મુંબઇ આવી ગયો છે, આવતીકાલે તેની અંતિમવિધી થઇ શકે છે.પોલીસ તેના મોતનું કારણ શોધી રહી છે, અને તેના નજીકના મિત્રોની પૂછપરછ કરી રહી છે. નોંધનિય છે કે તેની પૂર્વ મેનેજર દિશાએ પણ થોડા દિવસો પહેલા જ બિલ્ડિંગ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી, આ મામલે પણ પોલીસ તપાસ કરશે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch