Thu,25 April 2024,6:00 pm
Print
header

કેવી રીતે ચાલ્યો હશે જીવ ! સુરતમાં 3 વર્ષના પુત્રની હત્યા કર્યાં બાદ માતાએ કર્યો આપઘાત- Gujarat Post

સુરતઃ વેડરોડના પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતો ઝાંઝમેરા પરિવાર વિખેરાઇ ગયો છે. માતાએ ત્રણ વર્ષના પુત્રની ગળે ફાંસો આપીને હત્યા કરી હતી, બાદમાં પોતે જીવન ટૂકાવી દીધું છે, સનસનીખેજ બનાવથી પરિવાર આઘાતમાં ચાલ્યો ગયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં માતાએ દીકરાની હત્યા કર્યાં બાદ ગળેફાંસો ખાઈ લીધો હોવાનું બહાર આવ્યું છે.

પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટના ચોથા માળે યોગીતા બેન રાકેશભાઈ ઝાંઝમેરા પરિવાર સાથે રહેતા હતા. ત્રણ વર્ષનો પુત્ર દેવાંશ ઝાંઝમેરા અને યોગીતાબેન ઝાંઝમેરાનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યાં છે. માતાએ પુત્રને ગળેફાંસો આપી પોતે આપઘાત કરી લીધો છે, પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી છે, જેમાં જાણવા મળ્યું છે કે ઘરકંકાસમાં આ ઘટના બની હોય શકે છે.

મૃતક યોગીતાબેનને બે દીકરાઓ છે.જ્યારે આ ઘટના બની તેના થોડા જ સમયમાં તેમના ભાઈ અહીં પહોંચ્યાં હતા, વારંવાર ઘરનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ ઘરમાંથી દરવાજો કોઇએ ખોલ્યો ન હતો, શંકા જતા ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. ઘરમાં પ્રવેશતાની સાથે જ પોતાની બહેન અને ભાણિયાને લટકતા જોઈને તેઓ ચોંકી ગયા હતા. પોલીસે માતા અને પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch