Sat,20 April 2024,7:00 am
Print
header

સુરતઃ કામરેજમાં એમ્બ્રોઇડરીનું મશીન ફેરવતી વખતે કરંટ લાગતા બે કારીગરોનાં મોત

સુરતઃ કામરેજમાં આવેલા અમૃત ઉદ્યોગનગરમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં બે કારીગરોને કરંટ લાગતા તેમનું મોત થયું છે. એમ્બ્રોઇડરી મશીનના કાપડની ફેરબદલી માટે મશીનના એક ભાગને બારીની બહાર કાઢવા જતા મશીનનો એક ભાગ હાઈટેન્શનની લાઈનને અડી જતા બેઉ કારીગરને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ કારીગર કારખાનામાં ઢળી પડ્યા હતા. બંન્નેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. કામરેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના કામરેજ ખોલવડ ગામમાં આવેલા અમૃત ઉદ્યોગનગરમાં રાજેશભાઈ સવજીભાઈ વરડિયાનું એમ્બ્રોડરીનું કારખાનું આવેલું છે. મૂળ યુપીના વતની ભગવાનસિંહ રાજપૂત (ઉં.વ-27) અને સતીષકુમાર રાજપૂત (ઉં.વ-28) નામના બે કારીગર બીજા માળે એમ્બ્રોડરીના મશીન ઉપર કામ કરતા હતા. ભગવાનસિંહ અને સતીષકુમારે મશીનનો એક છેડો બારીની બહાર કાઢતા બારીની બહાર વીજ પુરવઠાની હાઈટેન્શનની લાઈનને અડી ગયો હતો. જેથી બન્ને કારીગરોને જોરદાર કરંટ લાગતા મોત થયું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch