સુરતઃ શહેરમાં એક સાથે 7 લોકોના આત્મહત્યાના કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે ઘટનાના 12 દિવસ બાદ એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ ઈન્દરપાલ શર્મા છે, જે મૃતક મનીષ સોલંકીનો બિઝનેસ પાર્ટનર છે. બંને ફર્નિચરના વ્યવસાયમાં ભાગીદાર હતા.ઈન્દરપાલે મનીષ સોલંકી પાસેથી 20 લાખ રૂપિયા લેવાના હતા. ઈન્દ્રપાલે મનીષ પર આ પૈસા દિવાળી સુધીમાં પરત કરવા દબાણ કર્યું હતું.
29 ઓક્ટોબરની સવારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારના પાલનપુર પાટિયા વિસ્તારમાં એક ફ્લેટમાંથી 7 લોકોનાં મૃતદેહ મળી આવ્યાં હતા.જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે મૃતક મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ લીધો હતો, તે પહેલા તેના માતા-પિતા, પત્ની અને ત્રણેય બાળકો ઝેર આપ્યું હતુ,આ પરિવાર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો હતો. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના પહેલા માળે મૃતક મનીષભાઇ, તેમના પત્ની રીટા, તેમની બે પુત્રીઓ દિશા, કાવ્યા અને પુત્ર કુશલ રહેતા હતા.
પોલીસને સ્થળ પરથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે કોઈનું નામ લીધા વગર પૈસા પાછા નહીં મળવાનું લખ્યું હતું. પોલીસે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ ચાલુ રાખી હતી. પોલીસને મૃતક મનીષનો બીજો એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે તેના ભાગીદાર ઈન્દરપાલ શર્માને દિવાળી સુધીમાં રૂ. 20 લાખ ચૂકવવા માટે દબાણ કરવા વિશે લખ્યું છે.
પોલીસના જણાવ્યાં અનુસાર ઈન્દરપાલ અને મૃતક મનીષે સુરતના ભટાર વિસ્તારમાં ભાગીદારીમાં નિધિ પ્લાયવુડ નામની દુકાન શરૂ કરી હતી. મનીષનો ફર્નિચરનો ધંધો હતો અને તેણે દુકાનમાંથી સામાન લીધો હતો, જેના માટે તેણે પૈસા ચૂકવવાના હતા. તેના ભાગીદાર ઈન્દરપાલે આ રકમ દિવાળી સુધીમાં ચૂકવી દેવાનું કહ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક મનીષે બેંકમાંથી લોન લેવાનો પ્રયાસ કર્યો હતો.તેણે લગભગ 1.10 કરોડ રૂપિયાની લોન માટે અરજી કરી હતી. પરંતુ તેમની લોન નામંજૂર કરવામાં આવી હતી, જ્યારે એક નાની લોનને ઘટનાના બીજા દિવસે મંજૂરી મળી હતી. પોલીસે ઈન્દરપાલ શર્મા વિરુદ્ધ કલમ 306 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પીએના ભાઈની ઓળખ આપીને 10 યુવક-યુવતીઓ સાથે રૂ.2.32 લાખની ઠગાઇ- Gujarat Post | 2023-11-18 10:06:35
સુરતઃ ફટાકડાનો ગંધક સળગાવી રહેલો કિશોર ગંભીર રીતે દાઝ્યો- Gujarat Post | 2023-11-12 12:00:17
સુરત રેલવે સ્ટેશન પર પેસેન્જર્સનું કિડીયારું ઉભરાયું, એકને હાર્ટએટેક, ત્રણ મૂર્છિત- Gujarat Post | 2023-11-11 10:56:32
વધુ એક ભ્રષ્ટ બાબુની દિવાળી એસીબીએ બગાડી, કોસંબાના PSI રૂ. 50 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2023-11-10 11:37:11