Thu,25 April 2024,9:15 pm
Print
header

ગુજરાતમાં કોરોનાના 11 નવા કેસ નોંધાયા, જામનગરમાં 14 માસના બાળકનું કોરોનાથી મોત

ગાંધીનગરઃ આજે નવા 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, ભાવનગરમાં 4, વડોદરાના નાગરવાડમા 5, સુરતમાં 1 અને સવારે વડોદરામાં 1 વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો,તે સાથે જ રાજ્યમાં કોવિડ-19થી સંક્રમિત લોકોની સંખ્યા 186 પર પહોંચી છે, જેમાંથી 120 જેટલા દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના છે, રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો 16 થઇ ગયો છે, જામનગરમાં જે 14 મહિનાનો માસૂમ બાળક કોરોના પોઝિટિવ હતો તેનું મોત થઇ ગયું છે. 
 
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે 24 કલાકમાં 932 લોકોનાં કોરોના ટેસ્ટ કરાયા છે, જેમાંથી 14 લોકોનાં પોઝિટિવ આવ્યાં છે અને 687 લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે. કોરોનાના કુલ 179 દર્દીઓમાંથી 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે, મોટાભાગના કેસ એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાયેલા છે. સૌથી વધુ દર્દીઓ અમદાવાદમાં 83 નોંધાયા છે, જેથી શહેરના અનેક વિસ્તારો ક્વોરોન્ટાઇન કરાયા છે.
 
કોવિડ-19 ના પોઝિટિવ કેસ 
અમદાવાદ 83
સુરત 23
ભાવનગર 18
ગાંધીનગર 13
વડોદરા 18
રાજકોટ 11
પાટણ 05
પોરબંદર 03
મહેસાણા 02
ગીર-સોમનાથ 02
કચ્છ 02
જામનગર 01
છોટાઉદેપુર 01
મોરબી 01
પંચમહાલ 01
સાબરકાંઠા 01
આણંદ 01
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch