Tue,29 April 2025,1:32 am
Print
header

સોનિયા ગાંધીએ મોદી સરકારની ઝાટકણી કાઢી, વક્ફ બિલને લઇને કહ્યું દેશને ખાડામાં નાખવામાં આવી રહ્યો છે

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ વક્ફ સુધારા બિલમાં કરાઇ રહેલા સુધારાને બંધારણ પર હુમલો ગણાવ્યો છે. કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ આ બિલનો વિરોધ કરી રહી છે.

સોનિયા ગાંધીએ જણાવ્યું કે,વકફ સુધારા બિલ, 2024 ગઈકાલે લોકસભામાં પસાર થયું હતું, આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ બળજબરીથી પસાર કરવામાં આવ્યું હતું. અમારા પક્ષનું વલણ સ્પષ્ટ છે. આ બિલ બંધારણ પર હુમલો છે. વકફ સુધારા બિલ ફક્ત સાંપ્રદાયિક ધ્રુવીકરણ માટે છે. આ ભાજપનું મોટું ષડયંત્ર છે અને દેશને ખાડામાં ધકેલવામાં આવી રહ્યો છે.

સોનિયાએ કહ્યું કે બંધારણ ફક્ત કાગળ પર જ રહેશે. તેમણે કહ્યું કે 'એક દેશ, એક ચૂંટણી' બિલ પણ બંધારણનું ઉલ્લંઘન છે. અમે આ કાયદાનો સખત વિરોધ કરીએ છીએ. સોનિયાએ કહ્યું કે, અર્થતંત્ર ખરાબ હાલતમાં છે. ચીનથી આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે, મોદી સરકારે આ બધા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઇએ તેની જગ્યાએ આ સરકાર ષડયંત્રો કરી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch