આઇટી વિભાગ પણ આ કેસની કરશે તપાસ
કરોડો રૂપિયાની ચાંદી જપ્ત કરાઇ
અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી જીએસટી બિલ વગર ચાંદીની હેરાફેરી થઇ રહી હતી અને હવે ચાંદીનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, પહેલા રાજકોટ એકપોર્ટ પરથી 280 કિલો ચાંદી ઝડપી લેવામાં આવી હતી અને પછી અમદાવાદના ગીતામંદિરથી 100 કિલો ચાંદીનો જથ્થો મળ્યો છે.
SGST એ અમદાવાદથી 100 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કર્યો છે, જેની લક્ઝરી બસમાં હેરાફેરી થઇ રહી હતી. ગીતામંદિરથી લકઝરી બસમાં રાજકોટ જઈ રહેલા એક વ્યક્તિ પાસેથી આ ચાંદીનો જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં 80 ટકા જથ્થાનું કોઈ બિલ ના હોવાનું સામે આવ્યું છે. ચાંદીના મળી આવેલા જથ્થાનો કોઇએ ક્લેઇમ કર્યો નથી. સ્ટેટ GST વિભાગે આ જથ્થો કબ્જે કરીને તપાસ હાથ ધરી છે.
નોંધનિય છે કે આ પહેલા રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટ પરથી 280 કિલો ચાંદી ઝડપાઇ હતી, જે જથ્થો વારાણસીથી રાજકોટ લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એર ઇન્ડિયામાં કાર્ગોમાં આ જથ્થો અહીં લાવવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે અને ફરીથી અમદાવાદમાંથી પણ ચાંદીનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50
મોરબીમાં વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતો આરપારના મૂડમાં, 50થી વધુ ટ્રેક્ટરો સાથે 700 ખેડૂતોની વિશાળ રેલી | 2026-06-10 18:20:59
રાજકોટમાં રમતી વખતે 14 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત, પરિવાર આઘાતમાં | 2026-06-08 17:53:28
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: અમિત ખૂંટ આપઘાત કેસમાં ચર્ચામાં આવેલી પૂજા રાજગોરનું મોત | 2026-06-05 18:36:57
રાજકોટમાં બાબા બાગેશ્વરનું આગમન, દિવ્ય દરબાર સામે પાટીદાર અગ્રણીનો વિરોધ | 2026-06-05 18:12:32