Thu,25 April 2024,12:56 am
Print
header

શું શંકરસિંહ વાઘેલા પાછા કોંગ્રેસમાં જઇ રહ્યાં છે ? પ્રેસ કોન્ફરન્સમાં થઇ શકે છે જાહેરાત- Gujaratpost

અમદાવાદઃ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. કોંગ્રેસમાં જવાની અટકળો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયા સાથે પત્રકાર પરિષદ કરશે.અગાઉ ભાજપ સામે બળવો કરીને પોતાની સરકાર બનાવનાર શંકરસિંહ વાઘેલા લાંબો સમય સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ  2017માં અલગ થઈ ગયા હતા. હવે તેઓ 2022માં ફરીથી સક્રિય થાય તેમ લાગી રહ્યું છે. તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય દેખાઇ રહ્યાં છે.

શંકરસિંહ વાઘેલા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા સાથે પત્રકાર પરિષદ કરશે. જેથી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે એવી ચર્ચાઓ છે. બીજી તરફ એવી વાત પણ ચાલી રહી છે કે બનાસ ડેરીના પૂર્વ કૌભાંડી ચેરમેન વિપુલ ચૌધરી મામલે તેઓ કોઇ વાત કરી શકે છે. ચૌધરીની જે તે વખતે તરફેણ કરનારા આ બંન્ને નેતાઓને નિવેદન આપવા માટે સમન્સ મળ્યાં છે. બની શકે છે કે આ બંને નેતાઓ આ કેસ સંબંધે પોતાની દલીલ રજૂ કરે પરંતુ પ્રેસ કોન્ફરન્સનું આમંત્રણ કોંગ્રેસે આપ્યું છે, જેથી આ કોઇ નવી રાજકીય ગતિવિધી હોય શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch