Wed,17 April 2024,1:30 am
Print
header

સાબરકાંઠાઃ જમીનમાંથી અચાનક વરાળ નીકળતા લોકોમાં કુતૂહલ, અધિકારીઓ પહોંચ્યાં ઘટના સ્થળે

સાબરકાંઠા: પ્રાંતિજના નાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જમીનમાંથી અચાનક વરાળ નીકળતા ગામ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ફાયર કર્મચારીએ તેની પર પાણી નાંખતા સામાન્ય બ્લાસ્ટ થયો હતો, જેમાં તે ઘાયલ થયા છે. સાથે જ અહીં ગઇકાલે એક મહિલાના પગ પણ દાઝ્યા હતા. સતત બીજા દિવસે પણ જમીનમાંથી વરાળ નીકળતાં લોકો આશ્ચર્યમાં મુકાયા છે.

ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું છે. જેસીબી બોલાવીને અહીં ખોદકામ કરાયું છે. આ ઘટના નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા હતા. લગભગ 25 ફૂટના અંતરે બે જગ્યાએથી અહીં વરાળ નીકળી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch