નવી દિલ્હીઃ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિત ચક્રવર્તી પર સુશાંત સ્યુસાઇડ કેસમાં સકંજો કસાયો છે. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. સુશાંતસિંહ રાજપૂત મૃત્યું પર કેન્દ્રીય પ્રધાન આર.વી.પાસવાને કહ્યું છે કે આ મામલે બિહાર અને મહારાષ્ટ્ર બંને રાજ્યો વચ્ચે વાતચીત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં હજી સુધી એફઆઈઆર નોંધાઈ ન હોવાને કારણે રાજ્યો વચ્ચે કોઈ સંઘર્ષ નથી. ચિરાગ પાસવાને મહારાષ્ટ્રના સીએમ ઠાકરે સાથે વાત કરી હતી કે આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. અનેક રાજકીય નેતાઓ માંગ કરી રહ્યાં છે કે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવે.
બિહાર પોલીસ વતી સ્વ.અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘની ફરિયાદ પર રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ રાજ્ય પોલીસનો સંપર્ક કર્યો છે અને વિગતો માંગવામાં આવી હતી. ઇડીના સૂત્રોએ જણાવ્યું છે કે એજન્સીએ 14 જૂનના રોજ આત્મહત્યા કરનાર સ્વર્ગસ્થ બોલિવૂડ અભિનેતાના 25 કરોડ રૂપિયાના બેંક વ્યવહારને સમજવા માટે એફઆઈઆરની નકલ માંગી હતી. સૂત્રોએ માહિતી આપી હતી કે બિહાર પોલીસે નોંધાવેલી એફઆઈઆરની સમીક્ષા કર્યાં પછી ઇડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધવાનો નિર્ણય કર્યો હતો. ઇડીએ સુશાંતસિંહ રાજપૂત અને રિયાના પરિવારની બે કંપનીઓની વિગતો બેંકો પાસેથી માંગી હતી. ઇડીએ વિવિડેજ રિલીટેક્સના નાંણાકીય વ્યવહારોની વિગતો પણ માંગી છે, જેમાં રિયા ડિરેક્ટર છે, ઉપરાંત ફ્રન્ટ ઈન્ડિયા ફોર વર્લ્ડ વિશેની માહિતી પણ માંગી છે, જેમાં તેનો ભાઈ શોવિક ડિરેક્ટર છે.
તમને જણાવી દઈએ કે સુશાંતના પિતાએ રિયા વિરુદ્ધ પટણામાં એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેમના પુત્ર પર છેતરપિંડી અને ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો.રિયાના વકીલ સતીષ માનશિંદેએ કહ્યું કે તેમના ક્લાયન્ટે પટણાથી મુંબઈ તપાસ સ્થાનાંતરિત કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જ્યાં અભિનેતાના મોત અંગે તપાસ પહેલાથી જ ચાલી રહી છે. જો કે,માનશીંદે આ અરજીની સામગ્રી શેર કરવાનો ઇનકાર કર્યો હતો.
સુશાંત અને રિયા 14 જૂનના રોજ અભિનેતાના મૃત્યું પહેલા સંબંધમાં હતા. સુશાંતના પિતાએ રિયા પર ઘણા આરોપો લગાવ્યા છે, જેમાં તેમના પુત્ર પાસેથી પૈસા પડાવવાની અને મીડિયા સામે પોતાનો મેડિકલ રિપોર્ટ જાહેર કરવાની ધમકી આપવા સહિતનો આરોપ છે.સુશાંતના પિતાએ પણ રિયા પર તેમના પુત્રને તેના પરિવારથી દૂર રાખવાનો આરોપ લગાવ્યો છે. સુશાંતના પિતરાઇ ભાઇ અને બિહારના ઉંબરપુરના ભાજપના પૂર્વ ધારાસભ્ય નીરજ કુમારસિંહે કહ્યું છે કે સુશાંતના અકાળ અને અચાનક અવસાનના આઘાતથી સ્વસ્થ થતાં પરિવારે એફઆઈઆર દાખલ કરી છે. તેમણે કહ્યું કે સુશાંતના મોત મામલે અનેક પાસાઓ પણ પ્રકાશમાં આવ્યાં છે, ત્યાર બાદ તેમણે કેસ નોંધવાનો નિર્ણય કર્યો હતો.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, 87 લોકોના મોત, 2500 થી વધુ મકાનોને થયું નુકસાન | 2024-04-20 07:59:15
રૂપાલાને હરાવીશું, મત એ જ શસ્રઃ રાજપૂત સંકલન સમિતિની જાહેરાત – Gujarat Post | 2024-04-20 07:46:56
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
જાંબલી રંગનું આ શાક સ્વાસ્થ્ય માટે અમૃતનો સાગર છે, અઠવાડિયામાં એકવાર પણ તેનું સેવન કરશો તો દુ:ખનો સમય દૂર થશે | 2024-04-20 08:15:10
શું તમે ઉનાળામાં બરફનું પાણી વધારે પીવો છો ? ક્યારેય ન કરો આ ભૂલ, થઇ શકે છે આ 8 શારીરિક સમસ્યાઓ | 2024-04-19 11:45:27
કેલ્શિયમની ઉણપના કિસ્સામાં દરરોજ આ 2 પ્રકારના બીજમાંથી 1 ચમચી બીજ ખાઓ, તમારું સ્વાસ્થ્ય સુધરશે | 2024-04-19 11:34:53
આ નાનું સફેદ-લાલ રંગનું ફળ ખૂબ જ શક્તિશાળી છે, આરોગ્ય માટે અદ્ભભૂત ગુણોથી ભરેલું છે, જીવલેણ રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે | 2024-04-18 08:39:50
ડાયાબિટીસના દર્દીઓ આ રીતે જાંબુનો ઉપયોગ કરો, પાંદડાથી લઈને બીજ સુધી બધું જ ફાયદાકારક છે | 2024-04-17 09:23:44