Fri,19 April 2024,7:06 am
Print
header

સાબરકાંઠાઃ પોશીનાના અજાવાસ ગામમાં ત્રિપલ મર્ડર કેસથી સનસની- Gujarat Post

મૃતકો કૌટુંબિક સગા હોવાનું આવ્યું સામે

એક ઘરમાં ઉડ્યાં લોહીની ફૂવારા

સાબરકાંઠાઃ પોશીનાના અજાવાસ ગામમાં ટ્રિપલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. બે મોટો લોકો અને એક બાળકની હત્યા થઇ છે. ગત મોડી રાત્રે આ ખૂની ખેલ ખેલાયો હતો. અંગત અદાવતમાં સામ સામે બે પુરુષોએ હુમલો કર્યો હતો. જેમાં પાંચ વર્ષના એક બાળકનું પણ મોત થયું છે. આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આ બંને વ્યક્તિઓ કૌટુંબિક સગા હોવાનું સામે આવ્યું છે. ઘરમાં એક વ્યક્તિ સાથે ખાટલામાં સૂતેલા બાળકનું પણ મોત નીપજ્યુ હતું.આ ઘટનામાં બંનેએ એકબીજા પર કુહાડીથી ઘા માર્યાં હતા.જેમાં બંનેના મોત નીપજ્યાં હતા. 

મોત બાદ આખા ઘરમાં લોહીના ફૂવારા ઉડ્યા હતા.ઘટનાની માહિતી મળતા પોલીસનો ફાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં હતા.ઘટના બનવા પાછળ શું કારણ હતું તેની પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch