મુંબઇઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બજારમાંથી 2000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચવા પર સામાન્ય લોકોના મનમાં ચાલી રહેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યાં હતા. તેમણે કહ્યું કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર છે. એટલે કે આરબીઆઈ હજુ પણ આ નોટની કિંમતની ગેરંટી લઈ રહી છે. આ નોટથી લોકો 30 સપ્ટેમ્બર સુધી સરળતાથી ખરીદી કરી શકશે. 23 મેથી શરૂ થઈને એક્સચેન્જ 30 મે સુધી બંધ રહેશે. એટલે કે લોકો પાસે 4 મહિનાનો સમય છે. તેઓ આ સમયગાળા દરમિયાન રૂ. 2000ની નોટ સરળતાથી બદલી શકશે. તેમ છતાં નાના દુકાનદારો જો તે ન લે તો તેઓ આ મામલે કંઈ કરી શકે તેમ નથી. ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે છૂટક વેચાણના અભાવે નાના દુકાનદારો આ ઊંચા મૂલ્યની નોટ લઈ શકતા ન હતા. 3.62 લાખ કરોડ રૂપિયાની 2000 રૂપિયાની નોટો હજુ બજારમાં ચલણમાં છે.
50 હજારથી વધુ રોકડ પર પાનકાર્ડ આપવું પડશે
એક સવાલના જવાબમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે જો કોઈ વ્યક્તિ 50 થી વધુ મૂલ્યની 2000 રૂપિયાની નોટ જમા કરાવે છે તો તેની કોઇ તપાસ કરાશે નહીં, આરબીઆઈ કોઈ સ્ક્રુટિની નહીં કરે. બેંકમાં પહેલાથી જ નિયમ છે કે જો તમે 50 હજારથી વધુ રોકડ જમા કરાવો છો તો PAN નંબર આપવો પડશે. આરબીઆઈના નિયમો અનુસાર, તમે તમારા ખાતામાં એક દિવસમાં 50,000 રૂપિયા અને વર્ષમાં 20 લાખ રૂપિયા સુધીની રોકડ જમા કરાવી શકો છો. જો કે તમારે તો તમારે પાન નંબર આપવો પડશે.
બેંકો અને આવકવેરા વિભાગ તેમનું કામ કરશે
જો કોઈ વ્યક્તિ 2000 રૂપિયાની નોટમાં મોટી રકમ જમા કરાવે તો શું ? આ પ્રશ્નનો જવાબ આપતા આરબીઆઈ ગવર્નરે કહ્યું કે બેંકો અને આવકવેરા વિભાગ તેમનું કામ કરશે. જેમ કે તમે બધા જાણો છો કે જ્યારે કોઈ પણ ખાતામાં મોટી રકમ જમા થાય છે, ત્યારે બેંકો તેની માહિતી આવકવેરા વિભાગ સાથે શેર કરે છે. પછી આવકવેરા વિભાગ તેનું મૂલ્યાંકન કરે છે. જો તેને કંઈક ખોટું જણાય તો તે પગલાં લે છે. આ કિસ્સામાં પણ બેંકો અને આવકવેરા વિભાગ સમાન નિયમનું પાલન કરશે. કોઈ નવા નિયમો લાગુ કરવામાં આવ્યાં નથી.
શું 30 સપ્ટેમ્બર પછી સમયમર્યાદા વધી શકે ?
બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. તેના જવાબમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તેમને આશા છે કે આ તારીખ સુધીમાં તમામ નોટો બેંકમાં આવી જશે. જો, નહીં આવે અને જેઓ વિદેશમાં છે અને આવી શકતા નથી, તેમના માટે વિચારણા કરવામાં આવશે. આ સૂચવે છે કે સામાન્ય લોકો માટે નોટો બદલવાની તારીખ વધુ લંબાવવામાં આવે તેવી શક્યતા નથી. આરબીઆઈ કેટલાક ખાસ કેસમાં રાહત આપી શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07