ગાંધીનગરઃ ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યાં પ્રમાણે હવે રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં ગણાય. બેંક ખાતું ખોલાવવા, મોબાઇલ સિમ કાર્ડ મેળવવા કે સરકારી યોજનાઓનો લાભ લેવા પણ રેશન કાર્ડ માન્ય રહેશે નહીં. રેશન કાર્ડનો ઉપયોગ માત્ર ગેસ તથા વ્યાજભી ભાવની દુકાનેથી રાશન મેળવા માટે જ કરી શકાશે, અન્ય જગ્યાએ નાગરિકોએ બીજા પુરાવા રજૂ કરવાના રહેશે.
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પરિપત્ર પ્રમાણે, રેશન કાર્ડ ફક્ત રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતું જ સીમિત રહેશે. ઓળખ અને રહેઠાણના પુરાવા માટે નાગરિકોએ આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ કે અન્ય માન્ય સરકારી દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડશે. રેશન કાર્ડનો દુરૂપયોગ વધી રહ્યો હોવાથી છેતરપિંડી અટકાવવા આ નિર્ણય લેવાયો છે.
સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવા, મોબાઇલ સિમ કાર્ડ મેળવવા કે સરકારી યોજનાઓનો લાભ લેવા અન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
ગાંધીનગર SOGમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો | 2025-11-10 15:55:08
ગાંધીનગરના અડાલજ પાસેથી ગુજરાત ATSએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યાં | 2025-11-09 10:46:00
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂઆત | 2025-11-08 17:52:34