કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ અનુભવી કલાકાર હોવા ઉપરાંત ખૂબ જ જીવંત વ્યક્તિ હતા
નવી દિલ્હીઃ જાણીતા હાસ્ય કલાકાર અને નેતા રાજુ શ્રીવાસ્તવનું બુધવારે દિલ્હીની AIIMSમાં નિધન થયું. રાજુ શ્રીવાસ્તવના નિધનથી તેમના લાખો ચાહતો શોકમાં છે. શ્રીવાસ્તવના નિધન પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી સહિત અનેક ટોચના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, 'રાજુ શ્રીવાસ્તવે હાસ્ય, રમૂજ અને સકારાત્મકતાથી આપણા જીવનને રોશન કર્યું.તે આપણને જલ્દી છોડીને ચાલ્યાં ગયા, પરંતુ તે તેમના સારા કાર્યોને કારણે વર્ષો સુધી લોકોના હૃદયમાં જીવંત રહેશે. તેમનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.'
Raju Srivastava brightened our lives with laughter, humour and positivity. He leaves us too soon but he will continue to live in the hearts of countless people thanks to his rich work over the years. His demise is saddening. Condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/U9UjGcfeBK
— Narendra Modi (@narendramodi) September 21, 2022
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ અનુભવી કલાકાર હોવા ઉપરાંત અનોખા વ્યક્તિ પણ હતા. તેઓ સામાજિક ક્ષેત્રે પણ સક્રિય હતા. હું તેમના શોકગ્રસ્ત પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
सुप्रसिद्ध हास्य कलाकार, राजू श्रीवास्तव जी के निधन से मुझे गहरा दुःख हुआ है। वे एक मंझे हुए कलाकार होने के साथ-साथ एक बेहद ज़िंदादिल इंसान भी थे। सामाजिक क्षेत्र में भी वे काफ़ी सक्रिय रहते थे। उनके शोकाकुल परिवार एवं प्रशंसकों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूँ।ॐ शान्ति!
— Rajnath Singh (@rajnathsingh) September 21, 2022
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. યાદવે આ દુઃખની ઘડીમાં રાજુ શ્રીવાસ્તવના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, 'પ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવજીની એક અનોખી શૈલી હતી, તેમણે પોતાની અદભૂત પ્રતિભાથી બધાને પ્રભાવિત કર્યાં હતા. તેમના નિધનથી કલા જગતને મોટી ખોટ પડી છે. હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
सुप्रसिद्ध हास्य कलाकार राजू श्रीवास्तव जी का एक विशिष्ट अंदाज था, उन्होंने अपनी अद्भुत प्रतिभा से सभी को प्रभावित किया। उनका निधन कला जगत के लिए एक बड़ी क्षति है। मैं उनके परिजनों व प्रशंसकों के प्रति संवेदना व्यक्त करता हूँ। ईश्वर उन्हें यह दुःख सहने की शक्ति दें। ॐ शांति शांति
— Amit Shah (@AmitShah) September 21, 2022
રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ જીનું નિધન દુખદ છે. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. આ દુઃખદ સમયમાં તેમના પરિવાર અને તેમના તમામ ચાહકો પ્રત્યે મારી સંવેદના.
मशहूर हास्य कलाकार राजू श्रीवास्तव जी का निधन बेहद दुखद। ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें। इस दुख की घड़ी में उनके परिजनों एवं सभी प्रशंसकों के प्रति मेरी संवेदनाएँ। pic.twitter.com/l7cPK1bCAS
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 21, 2022
રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કરતા કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું, 'રાજુ ભાઈએ આખરે ઈશ્વર લોકની ઉદાસી સામે લડવા માટે સાંસારિક યાત્રામાંથી વિરામ લઈ લીધો. એમના સંઘર્ષના દિવસોથી લઈને ખ્યાતિના શિખર સુધીની તેમની સફરના સેંકડો સંસ્મરણો આંખો સમક્ષ તરવરી રહ્યાં છે. ઉદાસ લોકોને સ્મિતની દિવ્ય ભેટ આપનાર સિકંદરને છેલ્લા પ્રણામ ભાઈ.' સાંસદ રવિ કિશન સહિત અનેક રાજનેતાઓ અને ફિલ્મી હસ્તીઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
શું તમે ઉનાળામાં બરફનું પાણી વધારે પીવો છો ? ક્યારેય ન કરો આ ભૂલ, થઇ શકે છે આ 8 શારીરિક સમસ્યાઓ | 2024-04-19 11:45:27
કેલ્શિયમની ઉણપના કિસ્સામાં દરરોજ આ 2 પ્રકારના બીજમાંથી 1 ચમચી બીજ ખાઓ, તમારું સ્વાસ્થ્ય સુધરશે | 2024-04-19 11:34:53
આ નાનું સફેદ-લાલ રંગનું ફળ ખૂબ જ શક્તિશાળી છે, આરોગ્ય માટે અદ્ભભૂત ગુણોથી ભરેલું છે, જીવલેણ રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે | 2024-04-18 08:39:50
ડાયાબિટીસના દર્દીઓ આ રીતે જાંબુનો ઉપયોગ કરો, પાંદડાથી લઈને બીજ સુધી બધું જ ફાયદાકારક છે | 2024-04-17 09:23:44
મહિલાઓ માટે છે આ ફળ રામબાણ... 25 દિવસ સુધી ખાવામાં આવે તો બાળકને મળશે પૌષ્ટિક દૂધ, જાણો તેના ફાયદા | 2024-04-16 09:53:14