નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના સામે દેશના અનેક ભાગોમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અગ્નિપથ યોજના પાછી ખેંચવામાં નહીં આવે, તમામ ભરતીઓ આ યોજના હેઠળ થશે. 25 હજાર અગ્નિવીરોની પ્રથમ બેંચ ડિસેમ્બરમાં સેનામાં જોડાશે. લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું કે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવનારાઓએ વિદ્યાર્થીઓને અગ્નિપથ સામે વિરોધ કરવા માટે ઉશ્કેર્યાં છે. અગ્નિવીર બનનાર વ્યક્તિએ એફિડેવિટ આપવી પડશે કે તેણે કોઈ પ્રદર્શન કે તોડફોડ કરી નથી.પોલીસ વેરિફિકેશન વગર કોઈને પણ સેનામાં લેવાશે નહીં.
પુરીએ કહ્યું કે યુવાનો શારીરિક રીતે તૈયાર હોવા જોઈએ, જેથી તેઓ અમારી સાથે જોડાઈ શકે અને તાલીમ લઈ શકે છે. અમે આ યોજના પર તાજેતરની હિંસાનો અંદાજ લગાવ્યો ન હતો. બધાએ લેખિતમાં આપવું પડશે કે તેઓ કોઈ પણ પ્રકારની આગજની કે હિંસામાં સામેલ નથી.
Indian Army's foundation in discipline. No space for arson, vandalism. Every individual will give a certificate that they were not part of protest or vandalism. Police verification is 100%, no one can join without that: Lt General Anil Puri, Addit'l Secy, Dept of Military Affairs pic.twitter.com/Ta421tRpkT
— ANI (@ANI) June 19, 2022
ભારતીય નૌકાદળ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 21 નવેમ્બરથી પ્રથમ નૌકાદળ અગ્નિવીર બેંચ, ઓડિશાના INS ચિલ્કા, તાલીમ સંસ્થામાં આવવાનું શરૂ કરશે. આ માટે પુરૂષ અને મહિલા અગ્નિશામક બંનેને મંજૂરી આપવામાં આવશે, ભારતીય નૌકાદળના વિવિધ જહાજોમાં 30 મહિલા અધિકારીઓ છે. વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અગ્નિપથ યોજના હેઠળ મહિલાઓની પણ ભરતી કરવામાં આવશે, જે યુદ્ધ જહાજો પર તૈનાત રહેશે, 24 જૂનથી એરફોર્સમાં ભરતી શરૂ થશે, નેવીમાં 25 જૂન અને સેનામાં 1 જુલાઈથી ભરતી શરૂ થશે.
પત્રકાર પરિષદના મહત્વના મુદ્દા
- ત્રણેય સેના પ્રમુખો અને CDS મળીને વિશ્વના તમામ દેશોની સેનાઓમાં સરેરાશ ઉંમર પર અભ્યાસ કર્યો છે અને આર્મીમાં યુવાનોની જરૂર છે. જુસ્સાની સાથે ચેતનાની પણ જરૂર છે. સેનામાં ફેરફારની પ્રક્રિયા 1989થી ચાલી રહી છે. સેનામાં સરેરાશ ઉંમર 32 વર્ષ હતી, અમારું લક્ષ્ય તેને 26 સુધી લાવવાનું હતું.
- જે દિવસે અગ્નિપથની જાહેરાત થઈ તે દિવસે બે જાહેરાતો થઈ, પહેલા દેશભરમાં દોઢ લાખ નોકરીઓ અને સેનામાં અગ્નિવીરના રૂપમાં 46 હજાર જગ્યાઓ પર ભરતી, કોરોનાને કારણે ઉંમરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
- આગામી 4- 5 વર્ષમાં આવા સૈનિકોની સંખ્યા 50-60 હજાર થશે,પછી તે વધીને એક લાખ થઈ જશે. અમે યોજનાનું વિશ્લેષણ કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા વધારવા માટે 46,000 ની ભરતી સાથે નાની શરૂઆત કરી છે.
આ એક સેવાનિધિ યોજના છે, અગ્નિવીરનું યોગદાન 5 લાખ છે, સરકાર તેમના વતી 5 લાખ આપશે. તેમના તમામ ભથ્થા સરખા હશે. અગ્નિપથમાં અને સૈનિકોમાં કોઈ ફરક રહેશે નહીં. સેનામાં શહીદ થવા પર 1 કરોડનો વીમો મળશે. જેના પર કોઈ ટેક્સ ભરવાનો રહેશે નહીં.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22