રાજકોટના સંતોષીનગરના અવધ રેસિડેન્સી માં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, અહી પરિવાર સાથે રહેતી 29 વર્ષીય સેજલ હકાભાઇ નૈયા અને તેની નાની બહેન કાજલ વચ્ચે ઘરકામને લઇને ઝઘડો થયો હતો, જેમાં સેજલે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે, અને નાની બહેન કાજલે બાલ્કનીમાંથી કૂદકો માર્યો હતો, જો કે તે બચી ગઇ હતી, તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, ઘટનાને પગલે પોલીસ અહી પહોંચી ગઇ હતી,તપાસ કરતા માલૂમ પડ્યું કે બંને બહેનો વચ્ચે ઘરકામના નાની વાતના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતુ, સેજલને ખોટું લાગતા તેને કહ્યું હતુ હું હવે નથી જીવવા માંગતી એમ કહીને ઘરમાં જ ગળે ફાંસો ખાઇ લીધો હતો, તેની લાશ જોઇને કાજલ ગભરાઇ ગઇ હતી, તેને પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને લઇને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.
રાજકોટ: ક્ષત્રિય આંદોલનના પાર્ટ 2નો આવતીકાલથી પ્રારંભ, ભાજપ વિરુદ્ધ કરશે પ્રચાર | 2024-04-23 17:58:17
સુરતઃ નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર – Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા પાંચ લોકોને મળી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં અનોખી | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે! બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51