રાજકોટઃ શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા હતા. બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે માત્ર બે ઇંચ વરસાદમાં જ શહેરના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા હતા. તેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
રાજકોટ શહેરમાં ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ 21 મી.મી., સેન્ટ્રલ ઝોનમાં 12 મી.મી. અને વેસ્ટ ઝોનમાં 8 મી.મી. વરસાદ પડ્યો છે. શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નાનામવા રોડ, રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, મવડી, સંત કબીર રોડ, પેડક રોડ, યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, પરબજાર, ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી, કોઠારીયા રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
સામાન્ય વરસાદમાં જ રેસકોર્સ રીંગરોડ પાસેના કસ્તુરબા રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેથી ટુ-વ્હીલર અને ફોર વ્હીલર ચાલકોને અહીંથી પસાર થવામાં તકલીફ પડી હતી. ઉપરાંત શહેરના સંત કબીર રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને લીધે ત્યા રહેતા લોકો અને અહીંના વેપારીઓને ક્યાંથી વાહન લઈને પસાર થવામાં મુશ્કેલી પડી હતી. સત્યસાઈ રોડ ઉપર ચંદ્ર પાર્ક, ગુરુદેવ પાર્ક, મારુતિ પાર્ક અને ન્યુ મારુતિ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા હતા અને તેને કારણે અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
પી ટી જાડેજા જેલમાંથી બહાર આવશે, ગૃહ વિભાગે પાસાનો હુકમ રિવોક કર્યો- Gujarat Post | 2025-07-15 09:38:38
ગોંડલમાં PGVCLના રિપેરિંગ કામ દરમિયાન અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતાં બે કર્મચારીઓનાં મોત | 2025-07-11 10:31:57
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
મોટી કાર્યવાહી થશે, મનસુખ સાગઠીયા સામે ગુનો નોંધવા EDએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મંજૂરી માંગી - Gujarat Post | 2025-07-02 10:59:23