Thu,25 April 2024,3:45 am
Print
header

રાજકોટમાં પ્રેમિકા નિર્દોષ સાબિત થઇ, પ્રેમીએ પોતે જ પેટ્રોલ છાંટીને કર્યું હતુ અગ્નિસ્નાન

રાજકોટઃ 6 જાન્યુઆરીએ મોરબી રોડ પર રહેતા રાજેશ રામાણીને પ્રેમિકાએ વાંકાનેર બાઉન્ડરી પાસે બોલાવીને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવ્યો હોવાની વાત વહેતી થઇ હતી.હવે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ગંભીર રીતે દાઝી ગયેલા રાજેશ રામાણીએ પોતે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો હતો.રાજેશના થેલામાંથી મળેલા પેટ્રોલની બોટલ બાદ પોલીસને જાળવા મળ્યું કે તેને જાતે જ આત્મહત્યા કરી હતી.

મોરબી રોડ પર સ્વસ્તિક વિલામાં રહેતા રાજેશ પરસોતમભાઈ રામાણી (ઉં.વ.45) ને સળગેલી હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. રાજેશ અને ગીતા બે મહિનાથી સાથે રહેતા હતા અને કડિયા કામ કરતા હતા. 10 દિવસ પહેલા ગીતા રાજેશના ઘરેથી રોકડા રૂપિયા અને સોનું લઇને ફરાર થઇ ગઇ હતી.પછી વાંકાનેર બાઉન્ડ્રી નજીક મળવા બોલાવ્યો હતો અને પેટ્રોલ છાંટી દીધું હોવાનું પુરુષે જણાવ્યું હતું.

વાંકાનેર તાલુકા પોલીસે તપાસ કરતાં બનાવ હત્યાનો નહીં પરંતુ આપઘાતનો નીકળ્યો છે. મૃતકના થેલામાંથી પેટ્રોલની બોટલ મળી હતી. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch