Wed,24 April 2024,7:15 am
Print
header

રાજકોટઃ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં એક દંપતીએ કર્યો આપઘાત, પુત્રએ જણાવ્યું માતા-પિતાના મોતનું કારણ

રાજકોટઃ શહેરમાં એક દંપતીએ એક સાથે આપઘાત કરી લીધો છે. રાજકોટ શહેરના મવડી સ્મશાન પાસે આવેલા ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં 12માં માળે રહેતા એક દંપતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હોવાની ઘટના સામે આવી છે. પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી છે.

મવડી વિસ્તારમાં આવેલા સ્મશાન નજીક ક્રિસ્ટલ બિલ્ડીંગના A વિંગમાં 12માં માળે રહેતા આ દંપતિએ આર્થિક ભીંસને કારણે આ પગલું ભર્યું છે. ગોપાલભાઇ ચાવડા (ઉં.વ.60) અને નિર્મલાબેન ચાવડા (ઉં.વ.60)એ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. મૃતકને સંતાનમાં એક પુત્ર તેમજ એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ દોડી જઇને બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. 

ગોપાલભાઈ રેડીમેડ કપડા બનાવવાનું કારખાનું ચલાવતા હતા. કોરોનામાં લોકડાઉનને કારણે મોટું નુકસાન થતા આર્થિક સંકડામણ વધી ગઈ હતી.પુત્ર માતાપિતાથી અલગ રહેતો હોવાથી તેણે 31 તારીખે રાત્રે માતા સાથે ફોન પર વાત કરી હતી.ગઇકાલે આખો દિવસ ફોન કરવા છતાં માતા-પિતા ફોન ન ઉપાડતા પુત્ર આજે તપાસ કરવા માટે ઘરે પહોંચ્યો હતો. દરવાજો ખોલીને ફ્લેટમાં અંદર પ્રવેશતાની સાથે જ પોતાના માતા-પિતાના મૃતદેહ લટકતી હાલતમાં જોયા હતા. સમગ્ર મામલે તેણે 108 તેમજ પોલીસને જાણ કરી હતી. 

મૃતકના પુત્રએ જણાવ્યું કે આર્થિક ભીંસને કારણે માતા-પિતાએ આ પગલું ભરી લીધુ છે.ગોપાલભાઈ અને તેમનો પુત્ર રેડીમેડ કપડાનો શોરૂમ ચલાવતા હતા ઉધારમાં માલ લઈ દુકાનમાં ભર્યો હતો. કોરોનાના કારણે ધંધો ઠપ થઇ ગયો હતો જેને કારણે દેવું પણ વધી ગયું હતું. આ દંપતીએ આર્થિક ભીંસના કારણે જ મોત વ્હાલું કર્યું હતું. હાલ વધુ તપાસ શરૂ કરાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch